ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત આનંદ મેળો એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ , ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય, એકબીજા સાથે સહકાર અને ટીમવર્કનો ...
India, Gujarat, Navsari, Vansda, janki van |ભારત, ગુજરાત,નવસારી,વાંસદા, જાનકી વન
જાનકી વન એ ભારત દેશના પ્રશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભિનાર ગામ ખાતે આવેલ એક બહુ આયામી વન છે.
આ વનનું સંચાલન ગુજરાતરાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. આ વન પર્યાવરણ સુરક્ષા વન્ય સમૃદ્ધિ નું જતન -સંવર્ધન, પર્યટન સ્થળ, વન્ય ઔષધિ -ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા 66 માં રાજ્ય વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 15.66 હેક્ટર જેટલાં વિસ્તારમાં ફેલાયેલા રાજયના 12માં સાંસ્કૃતિક વન તરીકે જાનકી વન નું લોક સમર્પણ બીજી ઓગસ્ટ 2015 ના દિવસે કરવામાં આવ્યું હતું.
આ વન ચીખલી સાપુતારા રાજ્ય ધોરી માર્ગ પર ઉનાઈ રોડના ત્રિભેટે આવેલ છે. આ વન વિવિધ પ્રકારની જંગલી વનસ્પતિઓ ઉપરાંત માહિતી કેન્દ્ર - આદિવાસી ઝૂંપડી, બાલવાટિકા , ટ્રાયબલ હટ, વગેરે છે.
Comments
Post a Comment