ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેન...
India, Gujarat, Navsari, Vansda, janki van |ભારત, ગુજરાત,નવસારી,વાંસદા, જાનકી વન
જાનકી વન એ ભારત દેશના પ્રશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભિનાર ગામ ખાતે આવેલ એક બહુ આયામી વન છે.
આ વનનું સંચાલન ગુજરાતરાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. આ વન પર્યાવરણ સુરક્ષા વન્ય સમૃદ્ધિ નું જતન -સંવર્ધન, પર્યટન સ્થળ, વન્ય ઔષધિ -ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા 66 માં રાજ્ય વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 15.66 હેક્ટર જેટલાં વિસ્તારમાં ફેલાયેલા રાજયના 12માં સાંસ્કૃતિક વન તરીકે જાનકી વન નું લોક સમર્પણ બીજી ઓગસ્ટ 2015 ના દિવસે કરવામાં આવ્યું હતું.
આ વન ચીખલી સાપુતારા રાજ્ય ધોરી માર્ગ પર ઉનાઈ રોડના ત્રિભેટે આવેલ છે. આ વન વિવિધ પ્રકારની જંગલી વનસ્પતિઓ ઉપરાંત માહિતી કેન્દ્ર - આદિવાસી ઝૂંપડી, બાલવાટિકા , ટ્રાયબલ હટ, વગેરે છે.
Comments
Post a Comment