નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25) અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા એ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વાવ પ્રાથમિક શાળા એ દ્વિતીય ક્રમાંક મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા...
India, Gujarat, Navsari, Vansda, janki van |ભારત, ગુજરાત,નવસારી,વાંસદા, જાનકી વન
જાનકી વન એ ભારત દેશના પ્રશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભિનાર ગામ ખાતે આવેલ એક બહુ આયામી વન છે.
આ વનનું સંચાલન ગુજરાતરાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. આ વન પર્યાવરણ સુરક્ષા વન્ય સમૃદ્ધિ નું જતન -સંવર્ધન, પર્યટન સ્થળ, વન્ય ઔષધિ -ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા 66 માં રાજ્ય વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 15.66 હેક્ટર જેટલાં વિસ્તારમાં ફેલાયેલા રાજયના 12માં સાંસ્કૃતિક વન તરીકે જાનકી વન નું લોક સમર્પણ બીજી ઓગસ્ટ 2015 ના દિવસે કરવામાં આવ્યું હતું.
આ વન ચીખલી સાપુતારા રાજ્ય ધોરી માર્ગ પર ઉનાઈ રોડના ત્રિભેટે આવેલ છે. આ વન વિવિધ પ્રકારની જંગલી વનસ્પતિઓ ઉપરાંત માહિતી કેન્દ્ર - આદિવાસી ઝૂંપડી, બાલવાટિકા , ટ્રાયબલ હટ, વગેરે છે.

Comments
Post a Comment