શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...
Navsari :આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.
Navsari :આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા. "હું મતદાન અવશ્ય કરીશ." આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભૂલાય નહિ તમે પણ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો #Election2024 #ElectionAwareness #VotingRights #IVoteForSure @CEOGujarat @ECISVEEP pic.twitter.com/XhFSfpI2E3 — Collector & DM Navsari (@CollectorNav) April 30, 2024