Skip to main content

Posts

નવપ્રવેશી વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ગણદેવીમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ–2026

     નવપ્રવેશી વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ગણદેવીમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ–2026 આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓનું કર્યું હર્ષભેર સ્વાગત ગણદેવી, તા. 24 જૂન: રાજ્ય સરકારના "શાળા પ્રવેશોત્સવ–પ્રગતિનો ઉત્સવ 2026" અંતર્ગત ગણદેવી તાલુકાના શ્રી અસ્પી કન્યા વિદ્યાલયના પટાંગણ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાણિયા મિલ હાઈસ્કૂલ, આંતલિયા, પ્રાથમિક વિદ્યામંદિર ઉંડાચ તથા વિવિધ આંગણવાડી કેન્દ્રોના અંદાજિત 203 નવપ્રવેશી બાળકોને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામ ઉદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી હર્ષોલ્લાસભેર આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજ પરિવર્તનનું મહાઅભિયાન છે. કન્યા સાક્ષરતા વધારવા અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના સંકલ્પ સાથે શરૂ...
Recent posts

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ : પ્રગતિનો મહોત્સવ

  શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ : પ્રગતિનો મહોત્સવ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં મીંઢાબારી અને બોરિયાછ ગામે શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી નવસારી, તા. 24 જૂન 2026: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીંઢાબારી તથા બોરિયાછ ગામે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે મીંઢાબારી અને બોરિયાછ ગામના બાલવાટિકાના 16, ધોરણ-1ના 19, આંગણવાડીના 4, ધોરણ-9ના 170 તથા ધોરણ-11ના 64 મળી કુલ 273 વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર ઔપચારિકતા નહીં પરંતુ શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવાનો એક મહોત્સવ છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત, વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) વચ્ચે સકારાત્મક સમન્વય અને સહભાગિતા અત્યંત જરૂરી છે. તેમણે સ્થાનિક સરપ...

પ્રતાપનગર માધ્યમિક ગ્રામ શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

 પ્રતાપનગર માધ્યમિક ગ્રામ શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી. શિક્ષણના નવા સત્રના મંગલ પ્રારંભ સાથે વાંસદા તાલુકાનાં પ્રતાપનગરની માધ્યમિક ગ્રામ શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી.

વાંસદાથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ.

  વાંસદાથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ. વાંસદા તાલુકાના દાદરી ફળિયા, વાંદરવેલા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો. માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શિક્ષણના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો.

TET પરીક્ષા મુક્તિ મુદ્દે નવસારી જિલ્લામાં શિક્ષકોનાં ધરણાં, 800થી વધુ શિક્ષકો જોડાયા

 TET પરીક્ષા મુક્તિ મુદ્દે નવસારી જિલ્લામાં શિક્ષકોનાં ધરણાં, 800થી વધુ શિક્ષકો જોડાયા. નવસારી, તા. 20 જૂન 2026 અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ – ઘટક નવસારીના સંયુક્ત ઉપક્રમે આજે તા. 20 જૂન, 2026ના રોજ સમરોલી ક્રિકેટ મેદાન, મુ. સમરોલી, તા. ચીખલી, જિ. નવસારી ખાતે TET પરીક્ષા મુક્તિની માંગ સાથે જિલ્લા કક્ષાનો ધરણા અને આવેદન કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 1:00 થી 3:00 કલાક દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા અંદાજે 800થી વધુ શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ TET પરીક્ષા મુક્તિ અંગે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી અને શિક્ષકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી. આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી જૈમિનભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્રભાઈ પટેલ અને મહામંત્રીશ્રી હિતેષભાઈ પટેલ દ્વારા TET મુક્તિ પ્રાપ્ત ન ...

પાણીખડક પ્રાથમિક શાળામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો રાત્રિવિશ્રામ, વિદ્યાર્થીઓ સાથે કર્યો યોગ અને પ્રાણાયામ

   પાણીખડક પ્રાથમિક શાળામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો રાત્રિવિશ્રામ, વિદ્યાર્થીઓ સાથે કર્યો યોગ અને પ્રાણાયામ પાણીખડક, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતના રાજ્યપાલશ્રી Acharya Devvrat અને મુખ્યમંત્રીશ્રી Bhupendra Patelએ સાદગીપૂર્ણ રીતે સામાન્ય વર્ગખંડમાં રાત્રિવિશ્રામ કર્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગ તથા પ્રાણાયામનું વિશેષ સત્ર યોજ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો તેમજ કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયામનો પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો. સાથે જ યોગ અને પ્રાણાયામના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ શરીરને નિરોગી રાખે છે, મનને એકાગ્ર બનાવે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં યોગ અને પ્રાણાયામનું વિશેષ મહત્વ છે. તેમણે વિદ્યાર્થ...

આછવણી ગામે હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી.

  આછવણી ગામે હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી. ખેડૂતો સાથે ખાટલા પર બેસી કર્યો સીધો સંવાદ • ગૌ દુગ્ધ દોહન કરી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું નવસારી, તા. 19: નવસારી જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રવાસના બીજા દિવસે ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલ હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા તરીકે જાણીતા રાજ્યપાલશ્રીએ ફાર્મની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું હતું તેમજ ઘાસચારો કાપીને ગાયોને અર્પણ કર્યો હતો. તેમણે પશુપાલન અને પૌષ્ટિક પશુ આહારના મહત્વ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ ગુલાબભાઈ પટેલ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અને પાકના મૂલ્યવર્ધન અંગે માહિતી મેળવી હતી. તેમણે ફાર્મમાં પામઓઈલની ખેતી પદ્ધતિનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. ખેતરની વચ્ચે કુદરતી વાતાવરણમાં ખાટલા પર બેસી રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્...