શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...
31 જુલાઈના ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં. નવસારી, તા. 29 જુલાઈ 2026: હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈના રોજ નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. આગામી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક (VC) યોજાઈ હતી. જેમાં SDM, DySP, મામલતદાર, TDO, PI સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંભવિત ભારે વરસાદની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ, નીચાણવાળા વિસ્તારો પર સતત નજર, બચાવ અને રાહત કામગીરી, સંવેદનશીલ સ્થળોની દેખરેખ, જરૂરી સાધનો અને માનવબળની ઉપલબ્ધતા તેમજ વિવિધ વિભાગો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરે, બિનજરૂરી મુસાફરી ટાળે તેમજ ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવા...