નાંધઈ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારંભ યોજાયો. નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળા ખાતે તારીખ ૨૩/૪/૨૦૨૬ના રોજ ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત રીતે વિદાય લેતા વિદ્યાર્થીઓને તિલક કરી તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થીને ફૂલ, ફોલ્ડર અને બોલપેન અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય શિક્ષિકા સ્નેહાબેને વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી વાતો કહી આશીર્વાદ પાઠવ્યા હતા. વર્ગ શિક્ષક વિરેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓએ આઠ વર્ષ દરમિયાન શાળામાં કરેલા કાર્યોની યાદો તાજી કરી હતી અને 'તેજસ્વી તારલાઓ'ને પ્રોત્સાહિત કરી હવે પછીની હાઈસ્કૂલની સફર માટે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક જીતુભાઈએ પણ વિદ્યાર્થીઓએ શાળાના વિવિધ કામોમાં આપેલા સહયોગની પ્રશંસા કરી હતી અને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દરેક વિદ્યાર્થીએ શાળામાં વિતાવેલા પોતાના સંસ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા, તેમજ મહામંત્રીએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. કૃતજ્ઞતાના ભાવ સાથ...
ચીખલી તાલુકાની અંબાચ શાળાથી MBBS સુધીની સફર: તન્મય પટેલ બન્યો ડૉક્ટર ચીખલી તાલુકાના કાકડવેલ ગામના વતની આદિવાસી શિક્ષક દંપતીનો પુત્ર ડૉક્ટર બની સમાજ માટે ગૌરવનું પ્રતિક બન્યો છે. અંબાચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતી શ્રી ઈશ્વરભાઈ પટેલ અને શ્રીમતી સરસ્વતીબેન પટેલના મોટા પુત્ર તન્મય પટેલે પોતાની મહેનત અને લગનના બળ પર ડૉક્ટર બની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ડૉ. તન્મય પટેલે ધોરણ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ અંબાચ પ્રાથમિક શાળામાં જ પ્રાપ્ત કર્યું હતું. હાલ આ જ શાળાની બે દીકરીઓ પણ MBBS અભ્યાસ કરી રહી છે, જે સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ વધારતું ઉત્તમ ઉદાહરણ છે. આજે તા. 17 એપ્રિલ, 2026ના રોજ GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સોલા ખાતે યોજાયેલા ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહમાં ડૉ. તન્મય ઈશ્વરભાઈ પટેલે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS) ની પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. આ પ્રસંગે તેમણે હિપ્પોક્રેટિક શપથ લઈને માનવસેવામાં જીવન સમર્પિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. દર્દીઓના આરોગ્ય અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી, ગોપનીયતા જાળવવી અને કોઈપણ ભેદભાવ વિના નિષ્ઠાપૂર્વક સેવા...