🏆 ખેરગામના પત્રકાર શ્રી જીગ્નેશભાઈ પટેલને “બેસ્ટ પત્રકાર એવોર્ડ”થી સન્માન પત્રકાર વેલફેર એસોસીએશન, વલસાડ દ્વારા આયોજિત ભવ્ય “મીડિયા એવોર્ડ સમારંભ”માં ખેરગામના યુવા અને નિષ્પક્ષ પત્રકાર શ્રી જીગ્નેશભાઈ પટેલને “બેસ્ટ પત્રકાર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. માનનીય ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે તેમને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓ નવજીવન ન્યૂઝ લેખક તથા વરિષ્ઠ પત્રકાર એડિટર પ્રશાંત દયાળ સાથે યાદગાર પળોના સાક્ષી બન્યા હતા. શ્રી જીગ્નેશભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી સમાજલક્ષી, જનહિત અને સ્થાનિક પ્રશ્નોને લગતા સમાચાર નિર્ભયતાપૂર્વક રજૂ કરી પત્રકારત્વ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમની કાર્યશૈલી, નિષ્પક્ષતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી આ સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી (નાણા અને શહેરી વિકાસ વિભાગ) શ્રી કનુભાઈ દેસાઈ તથા વરિષ્ઠ પત્રકાર અને નવજીવન ન્યૂઝના એડિટર શ્રી પ્રશાંત દયાળ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી (આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્...