Skip to main content

Posts

પ્રતાપનગર માધ્યમિક ગ્રામ શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

 પ્રતાપનગર માધ્યમિક ગ્રામ શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી. શિક્ષણના નવા સત્રના મંગલ પ્રારંભ સાથે વાંસદા તાલુકાનાં પ્રતાપનગરની માધ્યમિક ગ્રામ શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી.
Recent posts

વાંસદાથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ.

  વાંસદાથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ. વાંસદા તાલુકાના દાદરી ફળિયા, વાંદરવેલા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો. માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શિક્ષણના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો.

TET પરીક્ષા મુક્તિ મુદ્દે નવસારી જિલ્લામાં શિક્ષકોનાં ધરણાં, 800થી વધુ શિક્ષકો જોડાયા

 TET પરીક્ષા મુક્તિ મુદ્દે નવસારી જિલ્લામાં શિક્ષકોનાં ધરણાં, 800થી વધુ શિક્ષકો જોડાયા. નવસારી, તા. 20 જૂન 2026 અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ – ઘટક નવસારીના સંયુક્ત ઉપક્રમે આજે તા. 20 જૂન, 2026ના રોજ સમરોલી ક્રિકેટ મેદાન, મુ. સમરોલી, તા. ચીખલી, જિ. નવસારી ખાતે TET પરીક્ષા મુક્તિની માંગ સાથે જિલ્લા કક્ષાનો ધરણા અને આવેદન કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 1:00 થી 3:00 કલાક દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા અંદાજે 800થી વધુ શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ TET પરીક્ષા મુક્તિ અંગે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી અને શિક્ષકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી. આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી જૈમિનભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્રભાઈ પટેલ અને મહામંત્રીશ્રી હિતેષભાઈ પટેલ દ્વારા TET મુક્તિ પ્રાપ્ત ન ...

પાણીખડક પ્રાથમિક શાળામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો રાત્રિવિશ્રામ, વિદ્યાર્થીઓ સાથે કર્યો યોગ અને પ્રાણાયામ

   પાણીખડક પ્રાથમિક શાળામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો રાત્રિવિશ્રામ, વિદ્યાર્થીઓ સાથે કર્યો યોગ અને પ્રાણાયામ પાણીખડક, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતના રાજ્યપાલશ્રી Acharya Devvrat અને મુખ્યમંત્રીશ્રી Bhupendra Patelએ સાદગીપૂર્ણ રીતે સામાન્ય વર્ગખંડમાં રાત્રિવિશ્રામ કર્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગ તથા પ્રાણાયામનું વિશેષ સત્ર યોજ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો તેમજ કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયામનો પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો. સાથે જ યોગ અને પ્રાણાયામના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ શરીરને નિરોગી રાખે છે, મનને એકાગ્ર બનાવે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં યોગ અને પ્રાણાયામનું વિશેષ મહત્વ છે. તેમણે વિદ્યાર્થ...

આછવણી ગામે હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી.

  આછવણી ગામે હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી. ખેડૂતો સાથે ખાટલા પર બેસી કર્યો સીધો સંવાદ • ગૌ દુગ્ધ દોહન કરી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું નવસારી, તા. 19: નવસારી જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રવાસના બીજા દિવસે ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલ હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા તરીકે જાણીતા રાજ્યપાલશ્રીએ ફાર્મની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું હતું તેમજ ઘાસચારો કાપીને ગાયોને અર્પણ કર્યો હતો. તેમણે પશુપાલન અને પૌષ્ટિક પશુ આહારના મહત્વ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ ગુલાબભાઈ પટેલ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અને પાકના મૂલ્યવર્ધન અંગે માહિતી મેળવી હતી. તેમણે ફાર્મમાં પામઓઈલની ખેતી પદ્ધતિનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. ખેતરની વચ્ચે કુદરતી વાતાવરણમાં ખાટલા પર બેસી રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્...

આછવણી ગામે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ.

   આછવણી ગામે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ. નવસારી, તા. 19 જૂન : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન અને હરિત આવરણના વિસ્તરણનો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વડનું વૃક્ષ વાવી ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ વાવેલા વૃક્ષોનું સંતાનની જેમ જતન કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારો વચ્ચે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “વાવેલા વૃક્ષનું જતન ન કરવું અને તેને સુકાવા દેવું એ ભ્રૂણહત્યા સમાન પાપ છે.” મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું...

મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીની સાદગી: ખેરગામના ખેડૂત પરિવાર સાથે લીધું રાત્રિભોજન.

  મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીની સાદગી: ખેરગામના ખેડૂત પરિવાર સાથે લીધું રાત્રિભોજન નવસારી, તા. 19 જૂન: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાદગી, નમ્રતા અને જનસંપર્કનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામે સામાન્ય ખેડૂત પરિવાર સાથે રાત્રિભોજન લીધું હતું. પ્રોટોકોલની ઔપચારિકતાઓને બાજુ પર મૂકી બંને મહાનુભાવો પાણીખડક ગામના પટેલ ફળિયામાં રહેતા ખેડૂત શ્રી જિતેન્દ્રભાઈ ચુનીલાલ દેસાઈના લીંપણવાળા ઘરમાં પહોંચ્યા હતા. લીલાછમ ખેતરો અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા આ નાનકડા ઘરમાં દેસાઈ પરિવારના સભ્યો સાથે આત્મીયતાભર્યો સમય વિતાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીએ કાંસાની થાળી-વાટકામાં પીરસાયેલા દેશી નાગલી-ચોખાના રોટલા, ખીચડી, કઢી અને મિક્સ શાક સહિતના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો. પરિવારની એક વર્ષની દીકરી ક્રિન્સી અને અગિયાર વર્ષની નિક્કીના હરખભર્યા સ્વાગતે સમગ્ર વાતાવરણને વધુ ઉષ્માભર્યું બનાવ્યું હતું. આ અવસરે બંને મહાનુભાવોએ સંદેશ આપ્યો કે સાચી મહાનતા અને ભવ્યતા પદ, પ્રતિષ્ઠા કે ભપકામાં નહીં, પર...