Skip to main content

Posts

જનતા માધ્યમિક શાળામાં મગનભાઈ આહીરનો ભાવભર્યો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો.

 જનતા માધ્યમિક શાળામાં મગનભાઈ આહીરનો ભાવભર્યો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો. બાવળી ફળિયાના રહેવાસી તથા જનતા માધ્યમિક શાળાના સિનિયર કલાર્ક શ્રી મગનભાઈ આહીરનો નિવૃતિ નિમિત્તે ભાવભેર સન્માન સમારોહ યોજાયો હતો. શાળામાં તેમણે આશરે 40 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારીથી પોતાની ફરજ બજાવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર, સહકર્મીઓ તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી તેમની દીર્ઘકાલીન સેવાઓને યાદ કરી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મગનભાઈ આહીર શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતા કર્મચારી તરીકે ઓળખાતા હતા. તેમણે શાળા પરિવાર સાથે આત્મીયતા જાળવી રાખી અને વિદ્યાર્થીઓ સાથે મિત્રતાભાવથી વર્તન કરીને સૌના દિલ જીત્યા હતા. તેમની ફરજ પ્રત્યેની ઈમાનદારી, નિયમિતતા અને નિષ્ઠા હંમેશા અન્ય માટે પ્રેરણારૂપ બની રહી છે. કાર્યક્રમ દરમિયાન સહકર્મીઓએ તેમના અનુભવો અને યાદોને શેર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં મગનભાઈ આહીરે સૌનો આભાર વ્યક્ત કરી શાળાના સંસ્મરણો વહેંચ્યા હતા. #MaganbhaiAhir #RetirementCeremony #Farewell #SchoolLife #Dedication #Honesty #Khergam #Education #Gujarat #Respect #Inspiration #School...
Recent posts

GRPSS GANDHINAGAR દ્વારા શિક્ષકોના હિત મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી સમક્ષ ત્રણ અગત્યની રજૂઆતો

 GRPSS GANDHINAGAR દ્વારા શિક્ષકોના હિત મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી સમક્ષ ત્રણ અગત્યની રજૂઆતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર સમક્ષ શિક્ષકોના હિત સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પ્રથમ રજૂઆતમાં કર્મયોગી પોર્ટલ પર શિક્ષકોને પડતી વિવિધ ટેક્નિકલ અને વહીવટી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકો વેકેશનલ કર્મચારી હોવા છતાં LTC, NOC, વિદેશ પ્રવાસ, સ્થાનિક રજાઓ સહિતની પ્રક્રિયામાં પોર્ટલ પર યોગ્ય વિકલ્પો ઉપલબ્ધ ન હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આથી જરૂરી સુધારા કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. બીજી રજૂઆતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે સ્થગિત રાખવામાં આવેલ જિલ્લાફેર બદલી કેમ્પોની નવી તારીખો તાત્કાલિક જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતાં હવે બદલી પ્રક્રિયા ફરી શરૂ કરવી જરૂરી હોવાનું સંઘે જણાવ્યું છે. ત્રીજી રજૂઆતમાં વડોદરા જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વર્ષ ૨૦૦૪ વિદ્યાસહાયક ભરતી અંતર્ગત વર્ષ ૨૦૦૫માં નિમણૂંક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના (OPS)માં સામ...

ખેરગામ તાલુકા પંચાયતમાં ફરી ભગવો લહેરાયો, 16માંથી 11 બેઠક ભાજપના ફાળે.

    ખેરગામ તાલુકા પંચાયતમાં ફરી ભગવો લહેરાયો, 16માંથી 11 બેઠક ભાજપના ફાળે. કોંગ્રેસે 5 બેઠક જીતી મજબૂત હાજરી નોંધાવી ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ 11-5નું જ સમીકરણ યથાવત નાંધઈ બેઠક પર પૂર્વેશ ખાંડાવાલાની સૌથી મોટી જીત (2005 મત) પાણીખડકમાં હંસા દેસાઈ 1870 મતથી વિજેતા વાડ-2માં ચેતન પટેલ 1225 મતથી જીત્યા બહેજ બેઠક પર કોંગ્રેસની રિમ્પલ પટેલ 1696 મતથી વિજયી પાટી બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે કબજે કરી આછવણી-2 બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે જીતી જિલ્લા પંચાયતની બંને બેઠક પર ભાજપનો કબજો મોહિની પટેલ 2524 મતની લીડ સાથે વિજેતા હેતલ આહીર 1881 મતથી વિજયી ખેરગામ, તા. 29 એપ્રિલ 2026: ખેરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રભુત્વ સાબિત કરતાં કુલ 16 બેઠકમાંથી 11 બેઠક પર વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસે 5 બેઠક જીતી મક્કમ પડકાર આપ્યો છે. ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ બેઠકોનો આંકડો યથાવત રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે. ભાજપ માટે નાંધઈ બેઠક સૌથી મોટી જીત બની રહી, જ્યાં પૂર્વેશ ખાંડાવાલાએ 2005 મત મેળવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. પાણીખડક...

તોરણવેરા આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી.

   તોરણવેરા આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આંગણવાડી કેન્દ્ર પર  સંકલિત બાળ વિકાસ સેવાનાં તોરણવેરા સેજાની ૨૬ આંગણવાડી  કેન્દ્રોનો પોષણ ઉત્સવ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાની ઉજવણી સોમવારના રોજ ગામના સરપંચ સુનીલભાઈ દભાડીયાના પ્રમુખપદે યોજાયો હતો.   આ પ્રસંગે ઉપસ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડીકલ ઓફીસર ડો ચિરાગ ગાવિતે આરોગ્ય અને પોષણ બાબતે મનનીય વકતવ્ય આપતા કહ્યું હતું કે આજકાલના બાળકોમાં પેકેટ ફૂડ અને ઠંડા પીણાનો ચસ્કો લાગ્યો છે. એના કારણે બાળકોમાં  સુગરનું પ્રમાણ ચિંતાજનકરીતે  વધી રહ્યું છે. અને એમના આરોગ્ય માટે બહુ મોટી સમશ્યા બની શકે છે.  આ સમય બાળકોના વાલીઓએ ચેતી જઈ બાળકોને  આ બદીઓથી દુર રાખવાની જરૂર છે.  આંગણવાડીનાં  કોઈ પણ  કાર્યક્રમમાં હંમેશા  હાજર રહી પ્રોત્શાહન આપતા ગામના સરપંચ શ્રી સુનીલભાઈ દભાડીયાએ કહ્યું હતું કે બાળકોના આરોગ્ય અને શિક્ષણનાં સરકારશ્રી તરફથી આવા   પુરતા કાર્યક્રમો થતા રહે છે અને એમાં મારી હાજરી રહેતી જ હોય છે.   ...

નાંધઈ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારંભ યોજાયો.

નાંધઈ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારંભ યોજાયો. નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળા ખાતે તારીખ ૨૩/૪/૨૦૨૬ના રોજ ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત રીતે વિદાય લેતા વિદ્યાર્થીઓને તિલક કરી તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થીને ફૂલ, ફોલ્ડર અને બોલપેન અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય શિક્ષિકા સ્નેહાબેને વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી વાતો કહી આશીર્વાદ પાઠવ્યા હતા. વર્ગ શિક્ષક વિરેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓએ આઠ વર્ષ દરમિયાન શાળામાં કરેલા કાર્યોની યાદો તાજી કરી હતી અને 'તેજસ્વી તારલાઓ'ને પ્રોત્સાહિત કરી હવે પછીની હાઈસ્કૂલની સફર માટે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક જીતુભાઈએ પણ વિદ્યાર્થીઓએ શાળાના વિવિધ કામોમાં આપેલા સહયોગની પ્રશંસા કરી હતી અને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દરેક વિદ્યાર્થીએ શાળામાં વિતાવેલા પોતાના સંસ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા, તેમજ મહામંત્રીએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. કૃતજ્ઞતાના ભાવ સાથ...

ચીખલી તાલુકાની અંબાચ શાળાથી MBBS સુધીની સફર: તન્મય પટેલ બન્યો ડૉક્ટર

   ચીખલી તાલુકાની અંબાચ શાળાથી MBBS સુધીની સફર: તન્મય પટેલ બન્યો ડૉક્ટર ચીખલી તાલુકાના કાકડવેલ ગામના વતની આદિવાસી શિક્ષક દંપતીનો પુત્ર ડૉક્ટર બની સમાજ માટે ગૌરવનું પ્રતિક બન્યો છે. અંબાચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતી શ્રી ઈશ્વરભાઈ પટેલ અને શ્રીમતી સરસ્વતીબેન પટેલના મોટા પુત્ર તન્મય પટેલે પોતાની મહેનત અને લગનના બળ પર ડૉક્ટર બની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ડૉ. તન્મય પટેલે ધોરણ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ અંબાચ પ્રાથમિક શાળામાં જ પ્રાપ્ત કર્યું હતું. હાલ આ જ શાળાની બે દીકરીઓ પણ MBBS અભ્યાસ કરી રહી છે, જે સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ વધારતું ઉત્તમ ઉદાહરણ છે. આજે તા. 17 એપ્રિલ, 2026ના રોજ GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સોલા ખાતે યોજાયેલા ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહમાં ડૉ. તન્મય ઈશ્વરભાઈ પટેલે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS) ની પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. આ પ્રસંગે તેમણે હિપ્પોક્રેટિક શપથ લઈને માનવસેવામાં જીવન સમર્પિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. દર્દીઓના આરોગ્ય અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી, ગોપનીયતા જાળવવી અને કોઈપણ ભેદભાવ વિના નિષ્ઠાપૂર્વક સેવા...

News updates : કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

   News updates : કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનના લોકાર્પણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે માનનીય ધારાસભ્યશ્રી નવસારી શ્રી રાકેશભાઈ દેસાઈ તેમજ મુખ્ય મહેમાનશ્રી અજયભાઈ દેસાઈ, અધ્યક્ષશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ફુલચંદભાઈ ભક્તાણી, શ્રી હેમંતસિંહ ચૌહાણ (પ્રમુખશ્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), શ્રી વિશાલસિંહ રાઠોડ (પ્રમુખશ્રી, નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી) તથા શ્રી વિજયભાઈ પટેલ (મહામંત્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ) અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી પરેશભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી અમીષાબેન મોદી, શ્રી મહાદેવભાઈ દેસાઈ, શ્રી કિરણભાઈ દેસાઈ તેમજ દાતા શ્રી નગીનભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ શાહ અને શ્રી અકબરભાઈ મુલતાની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રશિક્ષકશ્રીઓ ...