નવપ્રવેશી વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ગણદેવીમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ–2026 આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓનું કર્યું હર્ષભેર સ્વાગત ગણદેવી, તા. 24 જૂન: રાજ્ય સરકારના "શાળા પ્રવેશોત્સવ–પ્રગતિનો ઉત્સવ 2026" અંતર્ગત ગણદેવી તાલુકાના શ્રી અસ્પી કન્યા વિદ્યાલયના પટાંગણ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાણિયા મિલ હાઈસ્કૂલ, આંતલિયા, પ્રાથમિક વિદ્યામંદિર ઉંડાચ તથા વિવિધ આંગણવાડી કેન્દ્રોના અંદાજિત 203 નવપ્રવેશી બાળકોને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામ ઉદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી હર્ષોલ્લાસભેર આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજ પરિવર્તનનું મહાઅભિયાન છે. કન્યા સાક્ષરતા વધારવા અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના સંકલ્પ સાથે શરૂ...
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ : પ્રગતિનો મહોત્સવ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં મીંઢાબારી અને બોરિયાછ ગામે શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી નવસારી, તા. 24 જૂન 2026: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીંઢાબારી તથા બોરિયાછ ગામે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે મીંઢાબારી અને બોરિયાછ ગામના બાલવાટિકાના 16, ધોરણ-1ના 19, આંગણવાડીના 4, ધોરણ-9ના 170 તથા ધોરણ-11ના 64 મળી કુલ 273 વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર ઔપચારિકતા નહીં પરંતુ શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવાનો એક મહોત્સવ છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત, વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) વચ્ચે સકારાત્મક સમન્વય અને સહભાગિતા અત્યંત જરૂરી છે. તેમણે સ્થાનિક સરપ...