મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી. તા. 25/06/2026ના રોજ ચીખલી તાલુકાની મલિયાધરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી આર.એન. વાડલે (PSI, ચીખલી), જિલ્લા પંચાયત નવસારીના સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, માજી તાલુકા પંચાયતના સભ્ય શ્રી વૈભવભાઈ બારોટ તેમજ ગામના આગેવાનો, વડીલો, એસએમસીના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક ભેટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન શ્રી આર.એન. વાડલેએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે સમર્પિત રહેવા તેમજ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા. જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી સર્વાંગી વિકાસ સાધવા પ્રોત્સાહિત...
બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન આછવણી, તા. 28 જૂન 2026: નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે ઉપશિક્ષક શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ યોજાયો. શ્રી જયેશકુમાર પટેલે શિક્ષણ ક્ષેત્રે કુલ 35 વર્ષ, 8 મહિના અને 17 દિવસ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમણે તા. 14 સપ્ટેમ્બર, 1990ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની ઢોકળવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2000માં જિલ્લાફેર બદલીથી નવસારી જિલ્લાના બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણીમાં જોડાઈ સતત 25 વર્ષ, 11 મહિના અને 12 દિવસ સુધી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્ય કર્યું. શ્રી પટેલે વર્ષ 2014થી 2021 દરમિયાન આચાર્ય તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. ઉપરાંત 2016થી 2019 દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી શિક્ષકોના હિત માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સાદગી, મૃદુભાષી સ્વભાવ, નિયમિતતા અને કર્મનિષ્ઠા માટે જ...