Skip to main content

Posts

KHERGAM TALUKA ના VAD MUKHYA PRATHAMIK SCHOOL ના પ્રતિષ્ઠિત શિક્ષક ગોવિંદભાઈ પટેલને ગૌરવપૂર્ણ વિદાય

 KHERGAM  TALUKA ના VAD MUKHYA PRATHAMIK SCHOOL ના પ્રતિષ્ઠિત શિક્ષક ગોવિંદભાઈ પટેલને ગૌરવપૂર્ણ વિદાય ખેરગામ, તા. 5 મે 2026: નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાડ મુખ્ય પ્રાથમિક શાળાના કર્તવ્યનિષ્ઠ શિક્ષક શ્રી ગોવિંદભાઈ બાબરભાઈ પટેલના વયનિવૃત્તિ પ્રસંગે ભાવભીની વિદાય અને સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી પટેલે ૨૧ જૂન ૨૦૦૦ના રોજ પોતાની શિક્ષક કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૩૧ મે ૨૦૨૬ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આશરે ૧૮ વર્ષની સેવા દરમિયાન તેમણે શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને નૈતિક મૂલ્યોનું પણ સિંચન કર્યું છે. વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તેમની સેવા દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં સફળતા મેળવી છે. તેમની નિષ્ઠા, ધીરજ અને કાર્યપ્રતિની પ્રતિબદ્ધતા તેમને શિક્ષકવર્ગમાં પ્રેરણાસ્ત્રોત બનાવે છે. શાળા કાર્ય ઉપરાંત તેમણે સંગઠનક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ૬ વર્ષ સુધી ખજાનચી તરીકે તેમજ નવસ...
Recent posts

હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા એવોર્ડથી નવાજાયા ખેરગામના સ્વાતિબેન પટેલ

    હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા એવોર્ડથી નવાજાયા ખેરગામના સ્વાતિબેન પટેલ નવસારી જિલ્લાના ગૌરવ સમાન સ્વાતિબેન હિરેનકુમાર પટેલે હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા નો પ્રતિષ્ઠિત લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવી દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં આજદિન સુધી આ એવોર્ડ મેળવનારી તેઓ પ્રથમ આદિવાસી મહિલા બન્યા છે. આ સાથે સ્વાતિબેને નવસારી જિલ્લાને One District One Product હેઠળ વારલી પેઇન્ટિંગ ની ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. નોંધનીય છે કે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી અત્યાર સુધી કોઈને આ એવોર્ડ મળ્યો નહોતો. સ્વાતિબેન દ્વારા તૈયાર કરાયેલ “ભીત ચિત્ર” વારલી પેઇન્ટિંગનું અનોખું અને પરંપરાગત સ્વરૂપ છે. આ ચિત્ર સંપૂર્ણ પ્રકૃતિ આધારિત અને ઇકો-ફ્રેન્ડલી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે. વાંસની ભીત પર માટી તથા ગાય-ભેંસના છાણનું લીપણ કરી, ચોખા અને બાવળના ગુંદરની પેસ્ટ વડે સફેદ રંગ તૈયાર કરીને ચિત્ર રચાયું છે. ચિત્રમાં આદિવાસી જીવનશૈલી, કૃષિ, પંચતત્વો, લગ્નવિધિ, ઉત્સવો, નૃત્ય, સંગીત, પશુપાલન, પર્વતો, તળાવો અને પ્રકૃતિ સાથેના સંબંધોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે....

નવતર ઈકો પર્યાવરણ પ્રોજેક્ટ 2025-26નું પરિણામ જાહેર : જિલ્લાની શાળાઓએ નોંધાવ્યો ઉત્કૃષ્ટ દેખાવ.

 નવતર ઈકો પર્યાવરણ પ્રોજેક્ટ 2025-26નું પરિણામ જાહેર : જિલ્લાની શાળાઓએ નોંધાવ્યો ઉત્કૃષ્ટ દેખાવ. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), નવસારી દ્વારા વર્ષ 2025-26 માટેના નવતર ઈકો પર્યાવરણ પ્રોજેક્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી તેમજ જિલ્લા અને નગર પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી દ્વારા જિલ્લામાં પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા, હરિયાળી અને નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્તમ કામગીરી કરનાર શાળાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની વિવિધ તાલુકાની શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાઓએ કેમ્પસ સ્વચ્છતા, વૃક્ષારોપણ, કચરાના વૈજ્ઞાનિક નિકાલ, પાણી સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને પર્યાવરણલક્ષી નવીન પ્રવૃત્તિઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી નોંધાવી હતી. તાલુકાવાર પરિણામ નીચે મુજબ છે : જલાલપોર તાલુકો પ્રથમ - કેસરબા કન્યા વિદ્યાલય, જલાલપોર દ્વિતીય - ચોરમલા ભાઠા પ્રાથમિક શાળા તૃતીય - કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા નવસારી તાલુકો પ્રથમ - અંબાડા પ્રાથમિક શાળા દ્વિતીય - પી.એમ.શ્રી છાપરા પ્રાથમિક શાળા તૃતીય - પ્રાથમિક શાળા, ડભલાઈ ગણદેવી તાલુકો પ્રથમ - પ્રાથમિક ...

ખેરગામ પોલીસની સરાહનીય કામગીરી: ખોવાયેલા 5 મોબાઇલ માલિકોને પરત સોંપાયા.

ખેરગામ પોલીસની સરાહનીય કામગીરી: ખોવાયેલા 5 મોબાઇલ માલિકોને પરત સોંપાયા. ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ખોવાયેલ અલગ-અલગ કંપનીઓના કુલ 5 મોબાઇલ ફોન (કિંમત રૂ. 60,397/-) શોધી કાઢી મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ (IPS)ના માર્ગદર્શન હેઠળ તથા વાંસદા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. ચાંદુના માર્ગદર્શન મુજબ જિલ્લામાં ખોવાયેલ મોબાઇલ તથા મોબાઇલ ચોરીના ગુનાઓ શોધવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અનુસંધાને ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સર્વેલન્સની મદદથી વિસ્તારના વિવિધ ગામોમાંથી ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવામાં સફળતા મળી હતી. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોબાઇલ ધારકોની ઓળખ પુષ્ટિ કરી તેમને તેમના મોબાઇલ પરત આપવામાં આવ્યા હતા. શોધી કાઢેલ મોબાઇલની વિગતો: REALME C61 – રૂ. 7,700/- VIVO 5G – રૂ. 14,499/- OPPO ...

જનતા માધ્યમિક શાળામાં મગનભાઈ આહીરનો ભાવભર્યો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો.

 જનતા માધ્યમિક શાળામાં મગનભાઈ આહીરનો ભાવભર્યો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો. બાવળી ફળિયાના રહેવાસી તથા જનતા માધ્યમિક શાળાના સિનિયર કલાર્ક શ્રી મગનભાઈ આહીરનો નિવૃતિ નિમિત્તે ભાવભેર સન્માન સમારોહ યોજાયો હતો. શાળામાં તેમણે આશરે 40 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારીથી પોતાની ફરજ બજાવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર, સહકર્મીઓ તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી તેમની દીર્ઘકાલીન સેવાઓને યાદ કરી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મગનભાઈ આહીર શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતા કર્મચારી તરીકે ઓળખાતા હતા. તેમણે શાળા પરિવાર સાથે આત્મીયતા જાળવી રાખી અને વિદ્યાર્થીઓ સાથે મિત્રતાભાવથી વર્તન કરીને સૌના દિલ જીત્યા હતા. તેમની ફરજ પ્રત્યેની ઈમાનદારી, નિયમિતતા અને નિષ્ઠા હંમેશા અન્ય માટે પ્રેરણારૂપ બની રહી છે. કાર્યક્રમ દરમિયાન સહકર્મીઓએ તેમના અનુભવો અને યાદોને શેર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં મગનભાઈ આહીરે સૌનો આભાર વ્યક્ત કરી શાળાના સંસ્મરણો વહેંચ્યા હતા. #MaganbhaiAhir #RetirementCeremony #Farewell #SchoolLife #Dedication #Honesty #Khergam #Education #Gujarat #Respect #Inspiration #School...

GRPSS GANDHINAGAR દ્વારા શિક્ષકોના હિત મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી સમક્ષ ત્રણ અગત્યની રજૂઆતો

 GRPSS GANDHINAGAR દ્વારા શિક્ષકોના હિત મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી સમક્ષ ત્રણ અગત્યની રજૂઆતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર સમક્ષ શિક્ષકોના હિત સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પ્રથમ રજૂઆતમાં કર્મયોગી પોર્ટલ પર શિક્ષકોને પડતી વિવિધ ટેક્નિકલ અને વહીવટી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકો વેકેશનલ કર્મચારી હોવા છતાં LTC, NOC, વિદેશ પ્રવાસ, સ્થાનિક રજાઓ સહિતની પ્રક્રિયામાં પોર્ટલ પર યોગ્ય વિકલ્પો ઉપલબ્ધ ન હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આથી જરૂરી સુધારા કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. બીજી રજૂઆતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે સ્થગિત રાખવામાં આવેલ જિલ્લાફેર બદલી કેમ્પોની નવી તારીખો તાત્કાલિક જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતાં હવે બદલી પ્રક્રિયા ફરી શરૂ કરવી જરૂરી હોવાનું સંઘે જણાવ્યું છે. ત્રીજી રજૂઆતમાં વડોદરા જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વર્ષ ૨૦૦૪ વિદ્યાસહાયક ભરતી અંતર્ગત વર્ષ ૨૦૦૫માં નિમણૂંક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના (OPS)માં સામ...

ખેરગામ તાલુકા પંચાયતમાં ફરી ભગવો લહેરાયો, 16માંથી 11 બેઠક ભાજપના ફાળે.

    ખેરગામ તાલુકા પંચાયતમાં ફરી ભગવો લહેરાયો, 16માંથી 11 બેઠક ભાજપના ફાળે. કોંગ્રેસે 5 બેઠક જીતી મજબૂત હાજરી નોંધાવી ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ 11-5નું જ સમીકરણ યથાવત નાંધઈ બેઠક પર પૂર્વેશ ખાંડાવાલાની સૌથી મોટી જીત (2005 મત) પાણીખડકમાં હંસા દેસાઈ 1870 મતથી વિજેતા વાડ-2માં ચેતન પટેલ 1225 મતથી જીત્યા બહેજ બેઠક પર કોંગ્રેસની રિમ્પલ પટેલ 1696 મતથી વિજયી પાટી બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે કબજે કરી આછવણી-2 બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે જીતી જિલ્લા પંચાયતની બંને બેઠક પર ભાજપનો કબજો મોહિની પટેલ 2524 મતની લીડ સાથે વિજેતા હેતલ આહીર 1881 મતથી વિજયી ખેરગામ, તા. 29 એપ્રિલ 2026: ખેરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રભુત્વ સાબિત કરતાં કુલ 16 બેઠકમાંથી 11 બેઠક પર વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસે 5 બેઠક જીતી મક્કમ પડકાર આપ્યો છે. ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ બેઠકોનો આંકડો યથાવત રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે. ભાજપ માટે નાંધઈ બેઠક સૌથી મોટી જીત બની રહી, જ્યાં પૂર્વેશ ખાંડાવાલાએ 2005 મત મેળવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. પાણીખડક...