Skip to main content

Posts

માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી.

   માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી. વલસાડ લોકસભાના માનનીય સાંસદશ્રી  ધવલ પટેલે તા. 08 જુલાઈ, 2026 ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ને પત્ર લખી 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતોના કાનૂની અને નીતિગત રક્ષણ માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સાંસદશ્રીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોની ભરતી તે સમયના અમલમાં રહેલા નિયમો, લાયકાતો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર સંપૂર્ણપણે કાયદેસર રીતે કરવામાં આવી હતી. આવા શિક્ષકોએ વર્ષો સુધી સમર્પિત સેવાઓ આપી દેશના શિક્ષણ ક્ષેત્રે તથા રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે NCTE દ્વારા 23 ઓગસ્ટ, 2010ના રોજ જાહેર કરાયેલી TET સંબંધિત સૂચના તથા સર્વોચ્ચ અદાલતના તા. 29 મે, 2024ના ચુકાદાને પગલે પૂર્વ-2010 શિક્ષકોમાં સેવા સુરક્ષા, વરિષ્ઠતા, બઢતી, પેન્શન અને અન્ય કાયદેસર અધિકારો અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આથી આવા શિક્ષકોના હકોનું કાનૂની અને નીતિગત રક્...
Recent posts

ખેરગામના દાદરી ફળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવેલા વૃક્ષોનું જતન કરાયું.

      ખેરગામના દાદરી ફળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવેલા વૃક્ષોનું જતન કરાયું. ખેરગામ, તા. 7 જુલાઈ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. 5 જૂનના રોજ ખેરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વાવવામાં આવેલા વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓના જતન અને ઉછેરના ભાગરૂપે રવિવારે ખેરગામના દાદરી ફળિયામાં વિશેષ વૃક્ષ જતન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલ , તાલુકા ભાજપ મહામંત્રી વિજય રાઠોડ, સાંઈરામ ઉર્ફે દિનેશભાઈ રાઠોડ તેમજ સ્થાનિક યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ વૃક્ષોની આસપાસની સફાઈ કરી, નિંદામણ દૂર કર્યું તેમજ છોડને પૂરતું પાણી આપી તેની યોગ્ય સંભાળ રાખી હતી. જેમાં સૌથી વધુ મહેનત સાંઈરામની હતી. તેમણે 5 જૂને વૃક્ષારોપણ પછી તેમને વૃક્ષોનું નિયમિત રીતે જતન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "માત્ર વૃક્ષારોપણ કરવાથી કાર્ય પૂર્ણ થતું નથી. વૃક્ષોનું નિયમિત જતન અને ઉછેર કરવો પણ દરેક નાગરિકની જવાબદારી છે. આવનારી પેઢીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ મળે તે માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ ...

ખેરગામમાં કર્તવ્ય ગ્રુપ અને ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો, 57 યુનિટ રક્ત એકત્રિત

   ખેરગામમાં કર્તવ્ય ગ્રુપ અને ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો, 57 યુનિટ રક્ત એકત્રિત ખેરગામના રામજી મંદિર હોલ ખાતે અતુલ રૂલર ડેવલપમેન્ટ ફંડના સહયોગથી કર્તવ્ય ગ્રુપ તથા ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે "રક્તદાન એ જ મહાદાન"ના સૂત્ર સાથે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક, ખેરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીજ્ઞાબેન પટેલ સહિત અનેક મહિલાઓએ રક્તદાન કરીને નારી શક્તિનો સેવાભાવપૂર્ણ સંદેશ આપ્યો હતો. કેમ્પમાં નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડૉ. વિશાલભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેષભાઈ ટેલર, મુસ્તાનશિર વોહરા, આશિષ દેસાઈ, રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ, ટ્રસ્ટી અલ્પેશ ગજ્જર સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ અને થેલી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ યુવા મોરચાના મં...

નવસારી જિલ્લા પંચાયતની મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી રમિલાબેન નિલેષભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી.

     નવસારી જિલ્લા પંચાયતની મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી રમિલાબેન નિલેષભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી. નવસારી જિલ્લા પંચાયતની મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી રમિલાબેન નિલેષભાઈ પટેલ ની વરણી થતાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેશકુમાર પટેલે તેમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. શ્રી હિતેશકુમાર પટેલે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે શ્રીમતી રમિલાબેન પટેલના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ, બાળ કલ્યાણ અને યુવા વિકાસને નવી દિશા મળશે. તેઓ પોતાના નવા દાયિત્વને નિષ્ઠા, સંવેદનશીલતા અને કાર્યક્ષમતાથી નિભાવી નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી. અંતમાં તેમણે શ્રીમતી રમિલાબેન નિલેષભાઈ પટેલના ઉજ્જ્વળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી અને તેમના સફળ કાર્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી. CTPSS CHIKHLI ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે રાજેશભાઈ પટેલને વધારાનો ચાર્જ, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન

       ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે રાજેશભાઈ પટેલને વધારાનો ચાર્જ, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન ચીખલી તાલુકાના અંબાચ પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક (HTAT) શ્રી રાજેશભાઈ પટેલ ને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના આદેશ અનુસાર ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, નવસારી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ જિલ્લામાં કેળવણી નિરીક્ષકોની ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખી તાલુકાવાર સૌથી વધુ સિનિયર, કાર્યદક્ષ અને સ્વૈચ્છિક સંમતિ ધરાવતા મુખ્યશિક્ષકો (HTAT)ને કેળવણી નિરીક્ષક તરીકે વધારાનો હવાલો સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અનુસંધાને શ્રી રાજેશભાઈ પટેલને ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે આગળની સૂચના સુધી વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ નિમણૂકના અવસરે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમરોલી પ્રાથમિક શાળા ખાતે શ્રી રાજેશભાઈ પટેલનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેશકુમાર પટેલ સહિત સંઘના હોદ્દેદા...

મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

   મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી. તા. 25/06/2026ના રોજ ચીખલી તાલુકાની મલિયાધરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી આર.એન. વાડલે (PSI, ચીખલી), જિલ્લા પંચાયત નવસારીના સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, માજી તાલુકા પંચાયતના સભ્ય શ્રી વૈભવભાઈ બારોટ તેમજ ગામના આગેવાનો, વડીલો, એસએમસીના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક ભેટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન શ્રી આર.એન. વાડલેએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે સમર્પિત રહેવા તેમજ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા. જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી સર્વાંગી વિકાસ સાધવા પ્રોત્સાહિત...

બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન

  બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન આછવણી, તા. 28 જૂન 2026: નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે ઉપશિક્ષક શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ યોજાયો. શ્રી જયેશકુમાર પટેલે શિક્ષણ ક્ષેત્રે કુલ 35 વર્ષ, 8 મહિના અને 17 દિવસ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમણે તા. 14 સપ્ટેમ્બર, 1990ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની ઢોકળવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2000માં જિલ્લાફેર બદલીથી નવસારી જિલ્લાના બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણીમાં જોડાઈ સતત 25 વર્ષ, 11 મહિના અને 12 દિવસ સુધી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્ય કર્યું. શ્રી પટેલે વર્ષ 2014થી 2021 દરમિયાન આચાર્ય તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. ઉપરાંત 2016થી 2019 દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી શિક્ષકોના હિત માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સાદગી, મૃદુભાષી સ્વભાવ, નિયમિતતા અને કર્મનિષ્ઠા માટે જ...