જનતા માધ્યમિક શાળામાં મગનભાઈ આહીરનો ભાવભર્યો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો. બાવળી ફળિયાના રહેવાસી તથા જનતા માધ્યમિક શાળાના સિનિયર કલાર્ક શ્રી મગનભાઈ આહીરનો નિવૃતિ નિમિત્તે ભાવભેર સન્માન સમારોહ યોજાયો હતો. શાળામાં તેમણે આશરે 40 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારીથી પોતાની ફરજ બજાવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર, સહકર્મીઓ તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી તેમની દીર્ઘકાલીન સેવાઓને યાદ કરી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મગનભાઈ આહીર શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતા કર્મચારી તરીકે ઓળખાતા હતા. તેમણે શાળા પરિવાર સાથે આત્મીયતા જાળવી રાખી અને વિદ્યાર્થીઓ સાથે મિત્રતાભાવથી વર્તન કરીને સૌના દિલ જીત્યા હતા. તેમની ફરજ પ્રત્યેની ઈમાનદારી, નિયમિતતા અને નિષ્ઠા હંમેશા અન્ય માટે પ્રેરણારૂપ બની રહી છે. કાર્યક્રમ દરમિયાન સહકર્મીઓએ તેમના અનુભવો અને યાદોને શેર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં મગનભાઈ આહીરે સૌનો આભાર વ્યક્ત કરી શાળાના સંસ્મરણો વહેંચ્યા હતા. #MaganbhaiAhir #RetirementCeremony #Farewell #SchoolLife #Dedication #Honesty #Khergam #Education #Gujarat #Respect #Inspiration #School...
GRPSS GANDHINAGAR દ્વારા શિક્ષકોના હિત મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી સમક્ષ ત્રણ અગત્યની રજૂઆતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર સમક્ષ શિક્ષકોના હિત સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પ્રથમ રજૂઆતમાં કર્મયોગી પોર્ટલ પર શિક્ષકોને પડતી વિવિધ ટેક્નિકલ અને વહીવટી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકો વેકેશનલ કર્મચારી હોવા છતાં LTC, NOC, વિદેશ પ્રવાસ, સ્થાનિક રજાઓ સહિતની પ્રક્રિયામાં પોર્ટલ પર યોગ્ય વિકલ્પો ઉપલબ્ધ ન હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આથી જરૂરી સુધારા કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. બીજી રજૂઆતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે સ્થગિત રાખવામાં આવેલ જિલ્લાફેર બદલી કેમ્પોની નવી તારીખો તાત્કાલિક જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતાં હવે બદલી પ્રક્રિયા ફરી શરૂ કરવી જરૂરી હોવાનું સંઘે જણાવ્યું છે. ત્રીજી રજૂઆતમાં વડોદરા જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વર્ષ ૨૦૦૪ વિદ્યાસહાયક ભરતી અંતર્ગત વર્ષ ૨૦૦૫માં નિમણૂંક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના (OPS)માં સામ...