બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન આછવણી, તા. 28 જૂન 2026: નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે ઉપશિક્ષક શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ યોજાયો. શ્રી જયેશકુમાર પટેલે શિક્ષણ ક્ષેત્રે કુલ 35 વર્ષ, 8 મહિના અને 17 દિવસ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમણે તા. 14 સપ્ટેમ્બર, 1990ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની ઢોકળવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2000માં જિલ્લાફેર બદલીથી નવસારી જિલ્લાના બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણીમાં જોડાઈ સતત 25 વર્ષ, 11 મહિના અને 12 દિવસ સુધી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્ય કર્યું. શ્રી પટેલે વર્ષ 2014થી 2021 દરમિયાન આચાર્ય તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. ઉપરાંત 2016થી 2019 દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી શિક્ષકોના હિત માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સાદગી, મૃદુભાષી સ્વભાવ, નિયમિતતા અને કર્મનિષ્ઠા માટે જ...
ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી. ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026' અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીશ્રી કે. એમ. પટેલ સાહેબ, લાયઝન અધિકારીશ્રી ટીનાબેન પટેલ તથા સી.આર.સી. વૈશાલીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંગણવાડી અને બાલવાટિકાનાં નાનાં ભૂલકાંને શાળામાં પ્રવેશ અપાવી તેમનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત, વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેમજ 100 ટકા વાર્ષિક હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓએ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્યશ્રી મનોજભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આ...