માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી. વલસાડ લોકસભાના માનનીય સાંસદશ્રી ધવલ પટેલે તા. 08 જુલાઈ, 2026 ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ને પત્ર લખી 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતોના કાનૂની અને નીતિગત રક્ષણ માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સાંસદશ્રીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોની ભરતી તે સમયના અમલમાં રહેલા નિયમો, લાયકાતો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર સંપૂર્ણપણે કાયદેસર રીતે કરવામાં આવી હતી. આવા શિક્ષકોએ વર્ષો સુધી સમર્પિત સેવાઓ આપી દેશના શિક્ષણ ક્ષેત્રે તથા રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે NCTE દ્વારા 23 ઓગસ્ટ, 2010ના રોજ જાહેર કરાયેલી TET સંબંધિત સૂચના તથા સર્વોચ્ચ અદાલતના તા. 29 મે, 2024ના ચુકાદાને પગલે પૂર્વ-2010 શિક્ષકોમાં સેવા સુરક્ષા, વરિષ્ઠતા, બઢતી, પેન્શન અને અન્ય કાયદેસર અધિકારો અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આથી આવા શિક્ષકોના હકોનું કાનૂની અને નીતિગત રક્...
ખેરગામના દાદરી ફળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવેલા વૃક્ષોનું જતન કરાયું. ખેરગામ, તા. 7 જુલાઈ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. 5 જૂનના રોજ ખેરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વાવવામાં આવેલા વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓના જતન અને ઉછેરના ભાગરૂપે રવિવારે ખેરગામના દાદરી ફળિયામાં વિશેષ વૃક્ષ જતન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલ , તાલુકા ભાજપ મહામંત્રી વિજય રાઠોડ, સાંઈરામ ઉર્ફે દિનેશભાઈ રાઠોડ તેમજ સ્થાનિક યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ વૃક્ષોની આસપાસની સફાઈ કરી, નિંદામણ દૂર કર્યું તેમજ છોડને પૂરતું પાણી આપી તેની યોગ્ય સંભાળ રાખી હતી. જેમાં સૌથી વધુ મહેનત સાંઈરામની હતી. તેમણે 5 જૂને વૃક્ષારોપણ પછી તેમને વૃક્ષોનું નિયમિત રીતે જતન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "માત્ર વૃક્ષારોપણ કરવાથી કાર્ય પૂર્ણ થતું નથી. વૃક્ષોનું નિયમિત જતન અને ઉછેર કરવો પણ દરેક નાગરિકની જવાબદારી છે. આવનારી પેઢીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ મળે તે માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ ...