તોરણવેરાના લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’ એનાયત ખેરગામ, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામના વતની અને કુકણા આદિજાતિના જાણીતા લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ મનુભાઈ વાઢુ ને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા પ્રતિષ્ઠિત **‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’**થી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં યોજાયેલા જનજાતિય ગરિમા ઉત્સવ-2026 અંતર્ગત આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આદિવાસી સમાજના લોકસાહિત્ય, લોકકથાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને વારસાના સંરક્ષણ તથા સંવર્ધન ક્ષેત્રે આપેલા વિશિષ્ટ અને અમૂલ્ય યોગદાન બદલ આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. ડાહ્યાભાઈ વાઢુ વર્ષોથી કુકણા આદિજાતિના ઇતિહાસ, લોકજીવન, લોકવાર્તાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓના સંકલન અને દસ્તાવેજીકરણનું કાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા રચાયેલા ‘કુકણા કથાઓ’ , ‘કુકણા રામકથા’ અને ‘કનસરીની કથાઓ’ જેવા મહત્વપૂર્ણ ગ્રંથોએ કુકણા સમાજની સમૃદ્ધ જ્ઞાનપરંપરા અને લોકસંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમના સાહિત્યિક અને સંશોધનાત્મક કાર્યને કારણે કુકણા સમાજની...
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓના નવા ચાર્જ – રાજ્યવ્યાપી ફેરફારનો કચેરી આદેશ જાહેર તારીખ: ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સ્થળ: ગાંધીનગર સ્ત્રોત: પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, વિદ્યા સમિક્ષા કેન્દ્ર, પૂનિતવન સામે, સેક્ટર-૧૯, ગાંધીનગર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (તા.પ્રા.શિ.)ની ખાલી રહેલ જગ્યાઓ પર તાત્કાલિક વ્યવસ્થા તરીકે નવા વધારાના હવાલા સોંપવાના આદેશો જાહેર કર્યા છે. આ આદેશ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના મંજુર આધારે તા. ૧૪/૧૦/૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અને અત્રેની કચેરીના અગાઉના સંદર્ભો આધારે, વિવિધ જિલ્લાઓના મુખ્ય શિક્ષકો અને કેળવણી નિરીક્ષકોને તેમના હાલના ફરજસ્થળ સિવાય વધારાની જવાબદારી તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ અમદાવાદ, નવસારી, બોટાદ, જુનાગઢ, તાપી, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર સહિત અનેક જિલ્લાઓના તાલુકાઓમાં નવા ચાર્જ આપાયા છે. જેમાં નવસારી જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઓનો વધારાનો હવાલો સોંપાયો છે. (૧) શ...