Skip to main content

Posts

Showing posts from June, 2026

શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ

        શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...

મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

   મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી. તા. 25/06/2026ના રોજ ચીખલી તાલુકાની મલિયાધરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી આર.એન. વાડલે (PSI, ચીખલી), જિલ્લા પંચાયત નવસારીના સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, માજી તાલુકા પંચાયતના સભ્ય શ્રી વૈભવભાઈ બારોટ તેમજ ગામના આગેવાનો, વડીલો, એસએમસીના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક ભેટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન શ્રી આર.એન. વાડલેએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે સમર્પિત રહેવા તેમજ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા. જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી સર્વાંગી વિકાસ સાધવા પ્રોત્સાહિત...

બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન

  બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન આછવણી, તા. 28 જૂન 2026: નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે ઉપશિક્ષક શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ યોજાયો. શ્રી જયેશકુમાર પટેલે શિક્ષણ ક્ષેત્રે કુલ 35 વર્ષ, 8 મહિના અને 17 દિવસ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમણે તા. 14 સપ્ટેમ્બર, 1990ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની ઢોકળવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2000માં જિલ્લાફેર બદલીથી નવસારી જિલ્લાના બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણીમાં જોડાઈ સતત 25 વર્ષ, 11 મહિના અને 12 દિવસ સુધી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્ય કર્યું. શ્રી પટેલે વર્ષ 2014થી 2021 દરમિયાન આચાર્ય તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. ઉપરાંત 2016થી 2019 દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી શિક્ષકોના હિત માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સાદગી, મૃદુભાષી સ્વભાવ, નિયમિતતા અને કર્મનિષ્ઠા માટે જ...

ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

   ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી. ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026' અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીશ્રી કે. એમ. પટેલ સાહેબ, લાયઝન અધિકારીશ્રી ટીનાબેન પટેલ તથા સી.આર.સી. વૈશાલીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંગણવાડી અને બાલવાટિકાનાં નાનાં ભૂલકાંને શાળામાં પ્રવેશ અપાવી તેમનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત, વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેમજ 100 ટકા વાર્ષિક હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓએ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્યશ્રી મનોજભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આ...

મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.

  મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો. ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026' અંતર્ગત ભવ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજ્યના આદિજાતિ વિકાસ, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અંતરિયાળ તથા આદિજાતિ વિસ્તારોના દરેક બાળકને ગુણવત્તાસભર, આધુનિક અને મૂલ્યલક્ષી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે શિક્ષણને સમાજના સર્વાંગી વિકાસનું સૌથી અસરકારક સાધન ગણાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં હાલમાં કુલ 228 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રસંગે બાલવાટિકાના 14 બાળકોને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત વાડ ઊંચાબેડા પ્રાથમિક શાળા ખાતે પણ કુલ 36 વિદ્યાર્થ...

રૂઝવણી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.

   રૂઝવણી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો. ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની રૂઝવણી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026નો કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયક સાહેબની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી અને બાલવાટિકાના નાનાં ભૂલકાઓનું તિલક કરીને તથા શૈક્ષણિક કિટ આપી હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું. તેમજ CET, NMMS અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ 100 ટકા હાજરી નોંધાવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે યોજાયેલી શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની બેઠકમાં શાળાના સર્વાંગી વિકાસ, શાળા વિકાસ આયોજન અને આગામી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણે ગામજનો અને વાલીઓને શાળા પ્રવેશોત્સવનું મહત્વ સમજાવી બાળકોને નિયમિત શિક્ષણ સાથે જોડવા અપીલ કરી. આ કાર્યકમમાં લાયઝન અધિકારી શ્રી જીગરભાઈ પટેલ, ગ...

વાવ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

  વાવ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી. ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે માનનીય કાર્યપાલક ઇજનેર, નવસારી શ્રી કે. એમ. પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા તેમજ અન્ય શાળાઓમાંથી આવેલા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ઉપરાંત CET તથા NMMS પરીક્ષામાં સફળતા મેળવનાર તેમજ 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે યોજાયેલી એસ.એમ.સી. બેઠકમાં શાળાના સર્વાંગી વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી મનીષભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત અધિકારીશ્રીઓ, ગામના આગેવાનો, વાલીઓ અને એસ.એમ.સી.ના સભ્યોનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શામળા ફળિયા સીઆરસી સંકલનકાર શ્રીમતી ટીનાબેન પટેલ, શ્રીમતી વૈશાલીબેન, પી.એમ.શ્રી. શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ સોલંકી, ગામના આગેવાનો,...

નારણપોર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન.

  નારણપોર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન. ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયક સાહેબની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ–2026 કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા તેમજ અન્ય શાળાઓમાંથી આવેલા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે ધોરણ 1થી 8માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર, 100 ટકા હાજરી ધરાવતા, CET તથા NMMS પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓ અંગે રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં ખેરગામ બ્લોકના લાયઝન અધિકારી જીગરભાઈ પટેલ, ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી ...

શામળા ફળિયા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં નવાં ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત.

   શામળા ફળિયા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં નવાં ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત. ખેરગામ, તા. 25 જૂન, 2026: ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ–2026 તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં કુલ 7 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળાના 3 અને પોમાપાળ પ્રાથમિક શાળાના 4 બાળકોનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય શાળાઓમાંથી ધોરણ-6માં પ્રવેશ મેળવનાર 7 વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના બાળકોનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1 થી 8 સુધીની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર તથા 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકે શાળાની *...

ભટ્ટાઈ ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી.

   ભટ્ટાઈ ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી. શિક્ષણ એ સપનાઓને સાકાર કરવાનું સશક્ત માધ્યમ : આઈએએસ સુશ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ, ૨૨૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત નવસારી, તા. ૨૩ જૂન ૨૦૨૬: રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ–૨૦૨૬' અંતર્ગત પ્રથમ દિવસે એમએસએમઇ કમિશનર આઈએએસ સુશ્રી ક્ષિપ્રા આગ્રેએ ભટ્ટાઈ ક્લસ્ટરની વિવિધ શાળાઓની મુલાકાત લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. સુશ્રી આગ્રેએ મોલધરા પ્રાથમિક શાળા (સ્કૂલ ઓફ એક્સેલન્સ), મિડલ મિશ્ર ભટ્ટાઈ પ્રાથમિક શાળા તથા ભટ્ટાઈ વિભાગ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રાથમિક વિભાગમાં ૫૪ તથા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧૬૯ એમ કુલ ૨૨૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓને શાળા પરિવારે કંકુ તિલક, મોં મીઠું કરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉષ્માભેર આવકાર્યા હતા. પ્રવેશોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા સુશ્રી ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ જીવનના સપનાઓને સાકાર કરવાન...

શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ.

    શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ. નવસારી, તા. 23: ગુજરાત સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લાની A+++ ગ્રેડ ધરાવતી પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સચિવાલય ગાંધીનગરના આઈએએસ અધિકારી શ્રીમતી આદ્રા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી આદ્રા અગ્રવાલે પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા, રમણ બ્રધર્સ વિદ્યાલય અને જામલાપોર કન્યા શાળા એમ ત્રણ શાળાઓમાં કુલ ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને નવા પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધી દેશના દરેક બાળકને ધોરણ-૧૨ સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. “ઝીરો ડ્રોપ-આઉટ”ના લક્ષ્યને હાંસલ કરવા શિક્ષણ વિભાગ સતત પ્રયાસશીલ છે. પ્રવેશોત્સવ દરમિયાન બાળવાડી (બાલવાટિકા)થી લઈને ધોરણ-૧૧ સુધીના વિદ્યાર્થીઓને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. સિસોદ્રા ગણે...

ખેરગામ કુમારશાળા અને કન્યા શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.

    ખેરગામ કુમારશાળા અને કન્યા શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો. ખેરગામ, તા. 24 જૂન 2026: ખેરગામ કુમારશાળા અને કન્યા શાળા દ્વારા સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા તેમજ ધોરણ-1 થી 8 સુધીના નવા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકોને શાળામાં પ્રવેશ અપાવી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક બાળકને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને પ્રેરણા વધે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત અભ્યાસ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શ્રી સમીર ડી. જોશી (DS, Agriculture, Farmer Welfare and Co-operation Department, ગાંધીનગર), શ્રી વિજયભાઈ પટેલ (મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી, વાંસદા), લાયઝન અધિકારી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (HTAT આચાર્ય, દેશમુખ પ્રાથમિક શાળા), જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મોહિનીબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી જિજ્ઞાબેન પટેલ, ખે...

નવપ્રવેશી વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ગણદેવીમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ–2026

     નવપ્રવેશી વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ગણદેવીમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ–2026 આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓનું કર્યું હર્ષભેર સ્વાગત ગણદેવી, તા. 24 જૂન: રાજ્ય સરકારના "શાળા પ્રવેશોત્સવ–પ્રગતિનો ઉત્સવ 2026" અંતર્ગત ગણદેવી તાલુકાના શ્રી અસ્પી કન્યા વિદ્યાલયના પટાંગણ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાણિયા મિલ હાઈસ્કૂલ, આંતલિયા, પ્રાથમિક વિદ્યામંદિર ઉંડાચ તથા વિવિધ આંગણવાડી કેન્દ્રોના અંદાજિત 203 નવપ્રવેશી બાળકોને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામ ઉદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી હર્ષોલ્લાસભેર આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજ પરિવર્તનનું મહાઅભિયાન છે. કન્યા સાક્ષરતા વધારવા અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના સંકલ્પ સાથે શરૂ...