Skip to main content

ભટ્ટાઈ ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી.

   ભટ્ટાઈ ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી. શિક્ષણ એ સપનાઓને સાકાર કરવાનું સશક્ત માધ્યમ : આઈએએસ સુશ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ, ૨૨૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત નવસારી, તા. ૨૩ જૂન ૨૦૨૬: રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ–૨૦૨૬' અંતર્ગત પ્રથમ દિવસે એમએસએમઇ કમિશનર આઈએએસ સુશ્રી ક્ષિપ્રા આગ્રેએ ભટ્ટાઈ ક્લસ્ટરની વિવિધ શાળાઓની મુલાકાત લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. સુશ્રી આગ્રેએ મોલધરા પ્રાથમિક શાળા (સ્કૂલ ઓફ એક્સેલન્સ), મિડલ મિશ્ર ભટ્ટાઈ પ્રાથમિક શાળા તથા ભટ્ટાઈ વિભાગ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રાથમિક વિભાગમાં ૫૪ તથા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧૬૯ એમ કુલ ૨૨૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓને શાળા પરિવારે કંકુ તિલક, મોં મીઠું કરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉષ્માભેર આવકાર્યા હતા. પ્રવેશોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા સુશ્રી ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ જીવનના સપનાઓને સાકાર કરવાન...

શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ.

    શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ.



નવસારી, તા. 23: ગુજરાત સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લાની A+++ ગ્રેડ ધરાવતી પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સચિવાલય ગાંધીનગરના આઈએએસ અધિકારી શ્રીમતી આદ્રા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમતી આદ્રા અગ્રવાલે પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા, રમણ બ્રધર્સ વિદ્યાલય અને જામલાપોર કન્યા શાળા એમ ત્રણ શાળાઓમાં કુલ ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને નવા પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કર્યું હતું.


આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધી દેશના દરેક બાળકને ધોરણ-૧૨ સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. “ઝીરો ડ્રોપ-આઉટ”ના લક્ષ્યને હાંસલ કરવા શિક્ષણ વિભાગ સતત પ્રયાસશીલ છે.


પ્રવેશોત્સવ દરમિયાન બાળવાડી (બાલવાટિકા)થી લઈને ધોરણ-૧૧ સુધીના વિદ્યાર્થીઓને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. સિસોદ્રા ગણેશવડ કન્યાશાળામાં આંગણવાડીના ૭, બાલવાટિકાના ૩૦ અને ધોરણ-૧ના ૩૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓને કંકુ તિલક, મોં મીઠું કરાવી તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરીને આવકારવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય શાળાઓમાંથી આવેલા ધોરણ ૨થી ૮ના વિદ્યાર્થીઓને પણ નવા પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના હાથે તૈયાર કરેલા હેન્ડમેડ ગ્રીટિંગ કાર્ડ્સ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સર્જનાત્મકતાની પ્રશંસા કરતાં શ્રીમતી આદ્રા અગ્રવાલે શિક્ષકોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.


આ અવસરે નાયબ કલેક્ટર શ્રી શિવરાજસિંહ ખુમાણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

    ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.  આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.  તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને...