તોરણવેરાના લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’ એનાયત ખેરગામ, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામના વતની અને કુકણા આદિજાતિના જાણીતા લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ મનુભાઈ વાઢુ ને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા પ્રતિષ્ઠિત **‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’**થી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં યોજાયેલા જનજાતિય ગરિમા ઉત્સવ-2026 અંતર્ગત આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આદિવાસી સમાજના લોકસાહિત્ય, લોકકથાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને વારસાના સંરક્ષણ તથા સંવર્ધન ક્ષેત્રે આપેલા વિશિષ્ટ અને અમૂલ્ય યોગદાન બદલ આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. ડાહ્યાભાઈ વાઢુ વર્ષોથી કુકણા આદિજાતિના ઇતિહાસ, લોકજીવન, લોકવાર્તાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓના સંકલન અને દસ્તાવેજીકરણનું કાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા રચાયેલા ‘કુકણા કથાઓ’ , ‘કુકણા રામકથા’ અને ‘કનસરીની કથાઓ’ જેવા મહત્વપૂર્ણ ગ્રંથોએ કુકણા સમાજની સમૃદ્ધ જ્ઞાનપરંપરા અને લોકસંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમના સાહિત્યિક અને સંશોધનાત્મક કાર્યને કારણે કુકણા સમાજની...
vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.
vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.
આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો અને બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા.#Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/X9k4v7oDmQ
— Collector & DM Navsari (@CollectorNav) April 20, 2024

Comments
Post a Comment