Skip to main content

ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે!

ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત  આનંદ મેળો  એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો.  વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી  પ્રશાંતભાઈ પટેલ ,  ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો  મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા  વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય, એકબીજા સાથે સહકાર અને ટીમવર્કનો ...

Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.

  

Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું. 

 તારીખ:૨૯-૦૪-૧૦૧૪નાં દિને વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં પોલીસ જવાનોએ પોલીસ કર્યું હતું જેમાં વલસાડના એસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ એ પણ મતદાન કર્યું હતું. 

લોકસભાની સામાન્ય ચૂંટણી વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ જવાનો માટે બેલેટ પેપર ઉપર મતદાન યોજાઈ રહ્યું છે.

ત્રીજા તબક્કાની સામાન્ય ચૂંટણીનો પ્રારંભ બેલેટ પેપર વડે મતદાન યોજાઈ રહ્યું છે. પોલીસ જવાનો ચૂંટણીની ફરજ દરમ્યાન મતદાનથી વંચિત ન રહે તે માટે બેલેટ પેપર વડે મતદાન યોજવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા 1122 જેટલા પોલીસ જવાનો માટે નજીકની પોલીસ હેડ કવાટર ખાતે મતદાન યોજાયું હતું.ચૂંટણી પંચના માર્ગ દર્શન હેઠળ 7મી મે ના રોજ અલગ અલગ મતદાન મથકો ઉપર ચૂંટણીની ફરજ ઉપર રહેનાર તમામ પોલીસ જવાનો મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

Valsad: ઉચ્ચ અધિકારીઓએ પણ મતદાન કર્યું.

જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પોલીસ હેડ કવાટર ખાતે મતદાન કુટિર અને અન્ય વ્યવસ્થાઓ ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી હતી.સાથે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને વલસાડ જિલ્લા એસપી વલસાડ દ્રારા તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.આ સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા મતદાન મથકની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું સાથે જ તમામ મતદાન અંગેની જાણકારીઓ તમને દ્વારા મેળવવામાં આવી હતી સાથે લોકોને ચૂંટણી કાર્ડ ન હોય તો પણ તેનો મતદાન કરી શકે તે અંગેની જરૂરી માહિતી મીડિયા ના માધ્યમ થી લોકો એ આપી હતી. લોકસભા ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં ખુબજ મોટી સંખ્યામાં પોલીસના ઉચ્ચ અધિકરીઓ થી લઇ પોલીસના જવાનોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

Post Courtesy: India news Gujarat

Comments

Popular posts from this blog

Navsari : "દીપાવલીના આનંદમાં: પોલીસની સામાજિક પ્રતિબદ્ધતા"

 Navsari : "દીપાવલીના આનંદમાં: પોલીસની સામાજિક પ્રતિબદ્ધતા" જિલ્લાની પોલીસ દ્વારા મજુરોના સુખદીન: દીપાવલીની ઉજવણી"  "દિવાળી: એકતા અને આનંદનો સંદેશ" "બાળકો માટે દીપાવલી: પોલીસની પ્રેમભરી કામગીરી" "પોલીસ અને સમુદાય: દિવાળીના ઉત્સવનો સંઘર્ષ" "મીઠાઈ અને ફટાકડા: દિવાળીની ઉજવણીમાં પોલીસનું યોગદાન"  "દિવાળીના મહોત્સવમાં પોલીસની ભૂમિકા" જીલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મજુરોના પડાવોમાં અને વસાહત વિસ્તારના બાળકોને મીઠાઈ તથા ફટાકડા વિતરણ કરીને દીપાવલીની ઉજવણી કરી. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં સુખ અને આનંદ ફેલાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ આ નમ્રતાને કારણે બાળકોને દીપાવલીના ઉત્સવનો આનંદ મલવા માટે અવકાશ મળે છે, જે એક સુંદર સંસ્કૃતિ અને સમૂહની ભાવનાઓને પ્રદર્શન કરે છે. આ સમયની ઉજવણીમાં પોલીસ કર્મચારીઓની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારી સ્પષ્ટ રીતે દેખાય છે. મીઠાઈ અને ફટાકડા વિતરણ દ્વારા, તેઓ ફક્ત દિવાળીનો ઉત્સવ જ ઉજવી રહ્યા નથી, પરંતુ લોકોમાં એકતા, આનંદ અને સંઘર્ષના સમર્થનનું સંદેશા પણ આપે છ...

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને...

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024