તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓના નવા ચાર્જ – રાજ્યવ્યાપી ફેરફારનો કચેરી આદેશ જાહેર તારીખ: ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સ્થળ: ગાંધીનગર સ્ત્રોત: પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, વિદ્યા સમિક્ષા કેન્દ્ર, પૂનિતવન સામે, સેક્ટર-૧૯, ગાંધીનગર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (તા.પ્રા.શિ.)ની ખાલી રહેલ જગ્યાઓ પર તાત્કાલિક વ્યવસ્થા તરીકે નવા વધારાના હવાલા સોંપવાના આદેશો જાહેર કર્યા છે. આ આદેશ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના મંજુર આધારે તા. ૧૪/૧૦/૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અને અત્રેની કચેરીના અગાઉના સંદર્ભો આધારે, વિવિધ જિલ્લાઓના મુખ્ય શિક્ષકો અને કેળવણી નિરીક્ષકોને તેમના હાલના ફરજસ્થળ સિવાય વધારાની જવાબદારી તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ અમદાવાદ, નવસારી, બોટાદ, જુનાગઢ, તાપી, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર સહિત અનેક જિલ્લાઓના તાલુકાઓમાં નવા ચાર્જ આપાયા છે. જેમાં નવસારી જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઓનો વધારાનો હવાલો સોંપાયો છે. (૧) શ...
ગણદેવી નગરપાલિકા દ્વારા શાળામાં બાળકો દ્વારા માનવ આકૃતિ રચી સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો.
નવસારી,તા.25: આજરોજ નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા માટે સેલ્ફી પોઈન્ટ ઈન્સ્ટોલેશન અને બાળકો દ્વારા માનવ આકૃતિ રચી દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા તથા આપણી આસપાસ સ્વચ્છતા જાળવવા સમજ કેળવવામાં આવી હતી. આ ઉપરાંત શાળામાં પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી દ્વારા સ્વચ્છતાના મહત્વ અંગે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા.




Comments
Post a Comment