તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓના નવા ચાર્જ – રાજ્યવ્યાપી ફેરફારનો કચેરી આદેશ જાહેર તારીખ: ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સ્થળ: ગાંધીનગર સ્ત્રોત: પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, વિદ્યા સમિક્ષા કેન્દ્ર, પૂનિતવન સામે, સેક્ટર-૧૯, ગાંધીનગર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (તા.પ્રા.શિ.)ની ખાલી રહેલ જગ્યાઓ પર તાત્કાલિક વ્યવસ્થા તરીકે નવા વધારાના હવાલા સોંપવાના આદેશો જાહેર કર્યા છે. આ આદેશ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના મંજુર આધારે તા. ૧૪/૧૦/૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અને અત્રેની કચેરીના અગાઉના સંદર્ભો આધારે, વિવિધ જિલ્લાઓના મુખ્ય શિક્ષકો અને કેળવણી નિરીક્ષકોને તેમના હાલના ફરજસ્થળ સિવાય વધારાની જવાબદારી તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ અમદાવાદ, નવસારી, બોટાદ, જુનાગઢ, તાપી, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર સહિત અનેક જિલ્લાઓના તાલુકાઓમાં નવા ચાર્જ આપાયા છે. જેમાં નવસારી જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઓનો વધારાનો હવાલો સોંપાયો છે. (૧) શ...
ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત.
આજરોજ વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પ્રાથમિક શાળા ગોડથલ ઝાડી ફળિયા ખાતે PM JANMAN યોજના અંતર્ગત નેતાજી સુભાષચંદ્ર બોઝ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ ગોડથલ મુખ્ય પ્રાથમિક શાળા પટેલ ફળિયા ખાતે નવા પાંચ ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું.
ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ નવી શૈક્ષણિક સુવિધાઓ તેની જ સેવા આપશે. આ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, તેમજ શ્રી પિયુષભાઈ પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.







Comments
Post a Comment