મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મીયાંઝરી પ્રાથમિક શાળામાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા ઉપશિક્ષક શ્રી નરેશકુમાર લાલજીભાઈ મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ ગ્રામ પંચાયત મીયાંઝરીની સરપંચ શ્રીમતિ લીલાબેન અમરતભાઈ ગાંવીતના પ્રમુખપણામાં આયોજિત થયો હતો. શ્રી નરેશભાઈ લાલજીભાઈ મહાકાળે તા. ૩૧/૧૦/૨૦૨૫ના રોજ ૨૦ વર્ષની અવિરત સેવા પૂર્ણ કરી. તેમણે શાળામાં પ્રવાસ, પર્યટન અને વિવિધ પ્રવૃત્તિઓ જેવા વિષયોમાં રુચિ જગાવી, વિદ્યાર્થીઓ અને ગામજનો વચ્ચે વિરવાસનું સંપાદન કર્યું. વળી, ૨૦ વર્ષથી BLO (બુથ લેવલ ઓફિસર) તરીકે પણ નિષ્ઠાથી કાર્ય કર્યું છે. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી રવિભાઈ પટેલ, ખજાનચીશ્રી ભરતભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, ચીખલીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રાજેશભાઈ પટેલ સહિત શિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ...
**કલા મહાકુંભ 2025-26: નાંધઈની દીકરીઓની શાનદાર સિદ્ધિ** ખેરગામ તાલુકામાં “કલા મહાકુંભ 2025-26” અંતર્ગત જનતા હાઇસ્કૂલ ખાતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં નાંધઈ પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ધોરણ 8ની માનસી આશિષભાઈ પટેલે નિબંધ લેખનમાં અને ધોરણ 6ની દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું. આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. માનસી અને દ્રષ્ટિએ પોતાની પ્રતિભા અને અભિવ્યક્તિથી બધાને પ્રભાવિત કર્યા. હવે આ બંને દીકરીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર, શિક્ષકો અને નાંધઈ ગામના લોકોએ બંને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. આ સિદ્ધિ નવસારી જિલ્લા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે!