શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...
બહેજ શાળાના રમતવીરોનું જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવમાં સન્માન.
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના સુરખાઈ ખાતે જ્ઞાન કિરણ ભવનમાં બહેજ પ્રાથમિક શાળાના ત્રણ હોકી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.
ગંગેશ્વરી માહલા, જેનીલ શિવમ અને પિયુષ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં ભાગ લઈ ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું. ત્રણેયને રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ અને જિલ્લા સમાહર્તા સુશ્રી ક્ષિપ્રા અગ્રેના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ખેલાડીઓને બહેજ શાળાના ઉપશિક્ષક અને દોડવીર પ્રવીણભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું.
Comments
Post a Comment