Skip to main content

ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે!

ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત  આનંદ મેળો  એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો.  વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી  પ્રશાંતભાઈ પટેલ ,  ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો  મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા  વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય, એકબીજા સાથે સહકાર અને ટીમવર્કનો ...

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

                   

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ

જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે

દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે.

મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ્વાર્થ ભાવે કપડાં મોકલી આપે છે. આ વર્ષે પણ બંને દાતાઓ દ્વારા દીકરીઓ માટે કપડાં મોકલી આપ્યા છે, આ વિરાટ કાર્યને દીકરીઓ સુધી પહોચાડવા માટે દાહોદ જિલ્લાના જાલત ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દિવાળી પર્વને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે શાળાની વિદ્યાર્થીનીઓને કપડાં, ખજૂર, પુસ્તક તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી શાળાઓમાં બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની તમામ દીકરીઓને દિવાળી પર્વને ધ્યાને રાખીને મુંબઈની પ્રિયા ક્રિએશનની ટીમ દ્વારા સ્ટાન્ડર્ડ કપડાંનું વિતરણ કરવામાં આવે છે. સરકારી શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓ આર્થિક રીતે પછાત ઘરમાંથી આવતી હોય છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં ચારેબાજુ દિવાઓથી રોશની કરવામાં આવે છે. 

દિવાળીના આ પર્વને આવી દીકરીઓના જીવનમાં પણ પ્રકાશ પાડવા હેતુસર મુંબઈની દાતા કંપની દ્વારા વિના મુલ્યે દાહોદ જિલ્લામાં ભણતી દીકરીઓને કપડાંનું દાન આપવામાં આવે છે. આ તમામ કપડાં મુંબઈની કંપનીમાંથી વિનામૂલ્યે આવે છે. જરૂરિયાતમંદ પ્રદેશ - વિસ્તારોમાં જઈને કૃષ્ણ કર્મ કરતી આ ટીમ આ વર્ષે પણ દાહોદ જિલ્લાની લગભગ ૪૦, ૦૦૦ જેટલી દીકરીઓને સ્ટાન્ડર્ડ કપડાં, પુસ્તક, ચવાણું તેમજ ખજૂરનું વિતરણ કરશે. 

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ ખુબ જ ઉમદા કાર્ય છે. દાહોદ જિલ્લાને ખરેખર આવા કૃષ્ણ કર્મીઓની જરૂર છે. મદદ કરવી એ સારી બાબત છે. દાહોદ જિલ્લામાં મુંબઈની આ દાતા કંપનીની જેમ અન્ય પણ આગળ વધીને આવા કાર્યોમાં જોડાય તે ઈચ્છનીય છે. એ સાથે એમણે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપતાં ઉમેર્યું હતું કે, તમે સૌ સારી રીતે આગળ વધીને પોતાના પગભર થાઓ જેથી કરીને કોઈની મદદની જરૂર ન રહે. સફળ થયેલ વ્યક્તિઓનું પણ કંઈક એવુ જ હોય છે. ક્લાસમાં સૌ વિદ્યાર્થીઓને સરખું જ ભણવાય છે પરંતુ આગળ જતાં એ જ સફળ થાય છે જે પોતાના પ્રયત્ન અને મહેનત સતત કરતાં રહે છે.

જીવનમાં બદલાવ લાવવા માટે આપણે પોતે જ આપણી પોતાની મદદ કરવાની છે. અને સાચી મૂડી તો આપણને આપવામાં આવતું શિક્ષણ છે, જેને સમય સાથે સમજીને એનો ઉપયોગ સારી રીતે કરવાનો છે. આપણે આપણા પોતાના માટે થઈને સ્વયં પ્રેરિત થવું પડશે. ધીરજ સાથે પ્રયત્ન કરતાં રહેવું અને છેલ્લી ઘડી સુધી સતત પ્રયત્ન અને મહેનત કરવાની છે.

નાયબ મામલતદારશ્રી હાર્દિક જોશીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાની તમામ સરકારી બાળવાટિકા, પ્રાથમિક - માધ્યમિક શાળાઓ અને આશ્રમ શાળાઓ પાસેથી દીકરીઓનું લિસ્ટ મંગાવીએ છીએ. એ હિસાબે મુંબઈથી સામાન લાવીને શાળાના નામ સહિત જેટલી દીકરીઓ હોય એ સંખ્યાના આધારે કપડાં પેક કરીને જે - તે શાળા સુધી પહોંચતા કરીએ છીએ અને સામાન સીધા દીકરીઓને મળે તેવી વ્યવસ્થા પણ કરીએ છીએ. જો સામાનમાં કંઈ પણ ક્ષતિ જણાય તો તેને સાઈડ પર કરી દઈએ છીએ. તેઓ વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૧૬ થી શરૂ કરેલ આ કૃષ્ણ કર્મ દરમ્યાન અત્યાર સુધી લગભગ અઢી લાખ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે. 

આ નિમિતે તાલુકા પ્રા.શિ.અધિકારીસુશ્રી જીજ્ઞાબેન,નાયબ મામલતદાર શ્રી હાર્દિક જોશી, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના શ્રી વિશાલ કિશોરી , બી.આર.સી.શ્રી રાજુભાઇ, સી.આર.સી. મુંબઈથી આવેલ ટીમ, અગ્રણી શ્રી ભરતસિંહ સોલંકી બાપુ, શાળા આચાર્ય શ્રી કિરીટભાઈ પટેલ , શાળા સ્ટાફ તેમજ ગામના વડીલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Comments

Popular posts from this blog

Navsari : "દીપાવલીના આનંદમાં: પોલીસની સામાજિક પ્રતિબદ્ધતા"

 Navsari : "દીપાવલીના આનંદમાં: પોલીસની સામાજિક પ્રતિબદ્ધતા" જિલ્લાની પોલીસ દ્વારા મજુરોના સુખદીન: દીપાવલીની ઉજવણી"  "દિવાળી: એકતા અને આનંદનો સંદેશ" "બાળકો માટે દીપાવલી: પોલીસની પ્રેમભરી કામગીરી" "પોલીસ અને સમુદાય: દિવાળીના ઉત્સવનો સંઘર્ષ" "મીઠાઈ અને ફટાકડા: દિવાળીની ઉજવણીમાં પોલીસનું યોગદાન"  "દિવાળીના મહોત્સવમાં પોલીસની ભૂમિકા" જીલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મજુરોના પડાવોમાં અને વસાહત વિસ્તારના બાળકોને મીઠાઈ તથા ફટાકડા વિતરણ કરીને દીપાવલીની ઉજવણી કરી. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં સુખ અને આનંદ ફેલાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ આ નમ્રતાને કારણે બાળકોને દીપાવલીના ઉત્સવનો આનંદ મલવા માટે અવકાશ મળે છે, જે એક સુંદર સંસ્કૃતિ અને સમૂહની ભાવનાઓને પ્રદર્શન કરે છે. આ સમયની ઉજવણીમાં પોલીસ કર્મચારીઓની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારી સ્પષ્ટ રીતે દેખાય છે. મીઠાઈ અને ફટાકડા વિતરણ દ્વારા, તેઓ ફક્ત દિવાળીનો ઉત્સવ જ ઉજવી રહ્યા નથી, પરંતુ લોકોમાં એકતા, આનંદ અને સંઘર્ષના સમર્થનનું સંદેશા પણ આપે છ...

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને...

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024