Skip to main content

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓના નવા ચાર્જ – રાજ્યવ્યાપી ફેરફારનો કચેરી આદેશ જાહેર

  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓના નવા ચાર્જ – રાજ્યવ્યાપી ફેરફારનો કચેરી આદેશ જાહેર તારીખ: ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સ્થળ: ગાંધીનગર સ્ત્રોત: પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, વિદ્યા સમિક્ષા કેન્દ્ર, પૂનિતવન સામે, સેક્ટર-૧૯, ગાંધીનગર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (તા.પ્રા.શિ.)ની ખાલી રહેલ જગ્યાઓ પર તાત્કાલિક વ્યવસ્થા તરીકે નવા વધારાના હવાલા સોંપવાના આદેશો જાહેર કર્યા છે. આ આદેશ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના મંજુર આધારે તા. ૧૪/૧૦/૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અને અત્રેની કચેરીના અગાઉના સંદર્ભો આધારે, વિવિધ જિલ્લાઓના મુખ્ય શિક્ષકો અને કેળવણી નિરીક્ષકોને તેમના હાલના ફરજસ્થળ સિવાય વધારાની જવાબદારી તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ અમદાવાદ, નવસારી, બોટાદ, જુનાગઢ, તાપી, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર સહિત અનેક જિલ્લાઓના તાલુકાઓમાં નવા ચાર્જ આપાયા છે. જેમાં નવસારી જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઓનો વધારાનો હવાલો સોંપાયો છે. (૧) શ...

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

                   

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ

જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે

દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે.

મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ્વાર્થ ભાવે કપડાં મોકલી આપે છે. આ વર્ષે પણ બંને દાતાઓ દ્વારા દીકરીઓ માટે કપડાં મોકલી આપ્યા છે, આ વિરાટ કાર્યને દીકરીઓ સુધી પહોચાડવા માટે દાહોદ જિલ્લાના જાલત ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દિવાળી પર્વને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે શાળાની વિદ્યાર્થીનીઓને કપડાં, ખજૂર, પુસ્તક તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી શાળાઓમાં બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની તમામ દીકરીઓને દિવાળી પર્વને ધ્યાને રાખીને મુંબઈની પ્રિયા ક્રિએશનની ટીમ દ્વારા સ્ટાન્ડર્ડ કપડાંનું વિતરણ કરવામાં આવે છે. સરકારી શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓ આર્થિક રીતે પછાત ઘરમાંથી આવતી હોય છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં ચારેબાજુ દિવાઓથી રોશની કરવામાં આવે છે. 

દિવાળીના આ પર્વને આવી દીકરીઓના જીવનમાં પણ પ્રકાશ પાડવા હેતુસર મુંબઈની દાતા કંપની દ્વારા વિના મુલ્યે દાહોદ જિલ્લામાં ભણતી દીકરીઓને કપડાંનું દાન આપવામાં આવે છે. આ તમામ કપડાં મુંબઈની કંપનીમાંથી વિનામૂલ્યે આવે છે. જરૂરિયાતમંદ પ્રદેશ - વિસ્તારોમાં જઈને કૃષ્ણ કર્મ કરતી આ ટીમ આ વર્ષે પણ દાહોદ જિલ્લાની લગભગ ૪૦, ૦૦૦ જેટલી દીકરીઓને સ્ટાન્ડર્ડ કપડાં, પુસ્તક, ચવાણું તેમજ ખજૂરનું વિતરણ કરશે. 

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ ખુબ જ ઉમદા કાર્ય છે. દાહોદ જિલ્લાને ખરેખર આવા કૃષ્ણ કર્મીઓની જરૂર છે. મદદ કરવી એ સારી બાબત છે. દાહોદ જિલ્લામાં મુંબઈની આ દાતા કંપનીની જેમ અન્ય પણ આગળ વધીને આવા કાર્યોમાં જોડાય તે ઈચ્છનીય છે. એ સાથે એમણે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપતાં ઉમેર્યું હતું કે, તમે સૌ સારી રીતે આગળ વધીને પોતાના પગભર થાઓ જેથી કરીને કોઈની મદદની જરૂર ન રહે. સફળ થયેલ વ્યક્તિઓનું પણ કંઈક એવુ જ હોય છે. ક્લાસમાં સૌ વિદ્યાર્થીઓને સરખું જ ભણવાય છે પરંતુ આગળ જતાં એ જ સફળ થાય છે જે પોતાના પ્રયત્ન અને મહેનત સતત કરતાં રહે છે.

જીવનમાં બદલાવ લાવવા માટે આપણે પોતે જ આપણી પોતાની મદદ કરવાની છે. અને સાચી મૂડી તો આપણને આપવામાં આવતું શિક્ષણ છે, જેને સમય સાથે સમજીને એનો ઉપયોગ સારી રીતે કરવાનો છે. આપણે આપણા પોતાના માટે થઈને સ્વયં પ્રેરિત થવું પડશે. ધીરજ સાથે પ્રયત્ન કરતાં રહેવું અને છેલ્લી ઘડી સુધી સતત પ્રયત્ન અને મહેનત કરવાની છે.

નાયબ મામલતદારશ્રી હાર્દિક જોશીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાની તમામ સરકારી બાળવાટિકા, પ્રાથમિક - માધ્યમિક શાળાઓ અને આશ્રમ શાળાઓ પાસેથી દીકરીઓનું લિસ્ટ મંગાવીએ છીએ. એ હિસાબે મુંબઈથી સામાન લાવીને શાળાના નામ સહિત જેટલી દીકરીઓ હોય એ સંખ્યાના આધારે કપડાં પેક કરીને જે - તે શાળા સુધી પહોંચતા કરીએ છીએ અને સામાન સીધા દીકરીઓને મળે તેવી વ્યવસ્થા પણ કરીએ છીએ. જો સામાનમાં કંઈ પણ ક્ષતિ જણાય તો તેને સાઈડ પર કરી દઈએ છીએ. તેઓ વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૧૬ થી શરૂ કરેલ આ કૃષ્ણ કર્મ દરમ્યાન અત્યાર સુધી લગભગ અઢી લાખ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે. 

આ નિમિતે તાલુકા પ્રા.શિ.અધિકારીસુશ્રી જીજ્ઞાબેન,નાયબ મામલતદાર શ્રી હાર્દિક જોશી, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના શ્રી વિશાલ કિશોરી , બી.આર.સી.શ્રી રાજુભાઇ, સી.આર.સી. મુંબઈથી આવેલ ટીમ, અગ્રણી શ્રી ભરતસિંહ સોલંકી બાપુ, શાળા આચાર્ય શ્રી કિરીટભાઈ પટેલ , શાળા સ્ટાફ તેમજ ગામના વડીલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

    ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.  આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.  તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને...