Skip to main content

પાણીખડક પ્રાથમિક શાળામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો રાત્રિવિશ્રામ, વિદ્યાર્થીઓ સાથે કર્યો યોગ અને પ્રાણાયામ

   પાણીખડક પ્રાથમિક શાળામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો રાત્રિવિશ્રામ, વિદ્યાર્થીઓ સાથે કર્યો યોગ અને પ્રાણાયામ પાણીખડક, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતના રાજ્યપાલશ્રી Acharya Devvrat અને મુખ્યમંત્રીશ્રી Bhupendra Patelએ સાદગીપૂર્ણ રીતે સામાન્ય વર્ગખંડમાં રાત્રિવિશ્રામ કર્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગ તથા પ્રાણાયામનું વિશેષ સત્ર યોજ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો તેમજ કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયામનો પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો. સાથે જ યોગ અને પ્રાણાયામના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ શરીરને નિરોગી રાખે છે, મનને એકાગ્ર બનાવે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં યોગ અને પ્રાણાયામનું વિશેષ મહત્વ છે. તેમણે વિદ્યાર્થ...

આછવણી ગામે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ.

   આછવણી ગામે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ.


નવસારી, તા. 19 જૂન : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન અને હરિત આવરણના વિસ્તરણનો સંદેશ આપ્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વડનું વૃક્ષ વાવી ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ વાવેલા વૃક્ષોનું સંતાનની જેમ જતન કરવા આહ્વાન કર્યું હતું.


આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારો વચ્ચે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “વાવેલા વૃક્ષનું જતન ન કરવું અને તેને સુકાવા દેવું એ ભ્રૂણહત્યા સમાન પાપ છે.”


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન એ જ જીવન અને સંસ્કૃતિના વિકાસનો પાયો છે. તેમણે પાણી, પેટ્રોલ અને અન્ય કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલ કરી હતી તેમજ જળસંચય અને તળાવોના સંવર્ધન માટે સૌના સહિયારા પ્રયાસોની જરૂરિયાત દર્શાવી હતી.


સ્થાનિક ગ્રામજનોના સહયોગથી કુલ 0.75 હેક્ટર વિસ્તારમાં લીમડો, પીપળ, વડ, બીલી, કાજુ, કદમ, સેવન, બહેડા સહિત 28 પ્રજાતિના 1600 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન અને હરિત આવરણના વિસ્તરણને પ્રોત્સાહન મળશે.

નોંધનીય છે કે, ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 5.50 કરોડ વૃક્ષો વાવવાનો વનવિભાગે લક્ષ્યાંક નક્કી કર્યો છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષક સુશ્રી ઉર્વશી પ્રજાપતિ, પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

    ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.  આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.  તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને...