Skip to main content

શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ.

    શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ. નવસારી, તા. 23: ગુજરાત સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લાની A+++ ગ્રેડ ધરાવતી પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સચિવાલય ગાંધીનગરના આઈએએસ અધિકારી શ્રીમતી આદ્રા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી આદ્રા અગ્રવાલે પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા, રમણ બ્રધર્સ વિદ્યાલય અને જામલાપોર કન્યા શાળા એમ ત્રણ શાળાઓમાં કુલ ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને નવા પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધી દેશના દરેક બાળકને ધોરણ-૧૨ સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. “ઝીરો ડ્રોપ-આઉટ”ના લક્ષ્યને હાંસલ કરવા શિક્ષણ વિભાગ સતત પ્રયાસશીલ છે. પ્રવેશોત્સવ દરમિયાન બાળવાડી (બાલવાટિકા)થી લઈને ધોરણ-૧૧ સુધીના વિદ્યાર્થીઓને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. સિસોદ્રા ગણે...

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ : પ્રગતિનો મહોત્સવ

 

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ : પ્રગતિનો મહોત્સવ

નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં મીંઢાબારી અને બોરિયાછ ગામે શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

નવસારી, તા. 24 જૂન 2026: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીંઢાબારી તથા બોરિયાછ ગામે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે મીંઢાબારી અને બોરિયાછ ગામના બાલવાટિકાના 16, ધોરણ-1ના 19, આંગણવાડીના 4, ધોરણ-9ના 170 તથા ધોરણ-11ના 64 મળી કુલ 273 વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર ઔપચારિકતા નહીં પરંતુ શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવાનો એક મહોત્સવ છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત, વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) વચ્ચે સકારાત્મક સમન્વય અને સહભાગિતા અત્યંત જરૂરી છે.


તેમણે સ્થાનિક સરપંચશ્રીઓને 15મા નાણાપંચ તેમજ વિવિધ સરકારી ગ્રાન્ટ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી કેન્દ્રોની ભૌતિક સુવિધાઓના વિકાસ તેમજ ગ્રીનરી અને ગાર્ડનિંગની જાળવણી જેવા કાર્યોને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો.


કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી શાળાઓના બાળકોમાં રહેલી સંકોચની ભાવના દૂર કરી તેમના વ્યક્તિત્વ વિકાસ અને સંવાદ કૌશલ્યને મજબૂત બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘બોલેગા બચપન’ નામના નવતર અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રાર્થના સભા તેમજ વર્ગખંડમાં નિયમિત અને વારાફરતી મંચ પર પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવશે, જેથી તેમનો સ્ટેજ ફિયર દૂર થાય અને આત્મવિશ્વાસમાં વધારો થાય.


કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “બાળકો નિર્ભયતાથી અને આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રજૂ કરી શકે તેવું સકારાત્મક વાતાવરણ ઉભું કરવું એ સમાજ અને શિક્ષણ જગતની સામૂહિક જવાબદારી છે.” તેમણે શિક્ષણને વ્યક્તિના સર્વાંગી વિકાસનું સૌથી સશક્ત સાધન ગણાવી દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ થાય અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોને સક્રિય સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.


કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયી અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

    ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.  આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.  તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને...