Skip to main content

માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી.

   માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી. વલસાડ લોકસભાના માનનીય સાંસદશ્રી  ધવલ પટેલે તા. 08 જુલાઈ, 2026 ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ને પત્ર લખી 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતોના કાનૂની અને નીતિગત રક્ષણ માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સાંસદશ્રીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોની ભરતી તે સમયના અમલમાં રહેલા નિયમો, લાયકાતો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર સંપૂર્ણપણે કાયદેસર રીતે કરવામાં આવી હતી. આવા શિક્ષકોએ વર્ષો સુધી સમર્પિત સેવાઓ આપી દેશના શિક્ષણ ક્ષેત્રે તથા રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે NCTE દ્વારા 23 ઓગસ્ટ, 2010ના રોજ જાહેર કરાયેલી TET સંબંધિત સૂચના તથા સર્વોચ્ચ અદાલતના તા. 29 મે, 2024ના ચુકાદાને પગલે પૂર્વ-2010 શિક્ષકોમાં સેવા સુરક્ષા, વરિષ્ઠતા, બઢતી, પેન્શન અને અન્ય કાયદેસર અધિકારો અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આથી આવા શિક્ષકોના હકોનું કાનૂની અને નીતિગત રક્...

માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી.

  માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી.



વલસાડ લોકસભાના માનનીય સાંસદશ્રી  ધવલ પટેલે તા. 08 જુલાઈ, 2026ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખી 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતોના કાનૂની અને નીતિગત રક્ષણ માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે.

સાંસદશ્રીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોની ભરતી તે સમયના અમલમાં રહેલા નિયમો, લાયકાતો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર સંપૂર્ણપણે કાયદેસર રીતે કરવામાં આવી હતી. આવા શિક્ષકોએ વર્ષો સુધી સમર્પિત સેવાઓ આપી દેશના શિક્ષણ ક્ષેત્રે તથા રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.


તેમણે વધુમાં જણાવ્યું છે કે NCTE દ્વારા 23 ઓગસ્ટ, 2010ના રોજ જાહેર કરાયેલી TET સંબંધિત સૂચના તથા સર્વોચ્ચ અદાલતના તા. 29 મે, 2024ના ચુકાદાને પગલે પૂર્વ-2010 શિક્ષકોમાં સેવા સુરક્ષા, વરિષ્ઠતા, બઢતી, પેન્શન અને અન્ય કાયદેસર અધિકારો અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આથી આવા શિક્ષકોના હકોનું કાનૂની અને નીતિગત રક્ષણ જરૂરી છે.



સાંસદશ્રીએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ:

✅ 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને TETમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે.

✅ સેવા, વરિષ્ઠતા, બઢતી, પેન્શન સહિતના તમામ કાયદેસર હકોના રક્ષણ માટે સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.

✅ જરૂરી જણાય તો સંબંધિત કાયદા, નિયમો અને નીતિઓમાં યોગ્ય સુધારા કરવામાં આવે.

✅ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસરખી અમલવારી સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ સૂચનાઓ બહાર પાડવામાં આવે.

સાંસદશ્રીએ પોતાના પત્રના અંતમાં જણાવ્યું છે કે આ મુદ્દો દેશભરના લાખો શિક્ષકો અને તેમના પરિવારોના જીવન, ગૌરવ અને સેવા સુરક્ષા સાથે સીધો જોડાયેલો હોવાથી કેન્દ્ર સરકાર આ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી જરૂરી કાનૂની અને નીતિગત પગલાં ભરે તેવી તેમની અપેક્ષા છે.

જ્યારે જયારે માનનીય સાંસદશ્રી ધવલભાઈ પટેલે લોકોહિતાર્થે ઉપલી કક્ષાએ રજૂઆત કરી છે. જેની નોંધ અવશ્ય લેવાઈ જ છે. શિક્ષકોના હિતમાં કરવામાં આવેલ રજૂઆતોની પણ નોંધ લેવાશે એવી શિક્ષક સમાજ આશા સેવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

  નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ...