Skip to main content

ખેરગામમાં કર્તવ્ય ગ્રુપ અને ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો, 57 યુનિટ રક્ત એકત્રિત

   ખેરગામમાં કર્તવ્ય ગ્રુપ અને ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો, 57 યુનિટ રક્ત એકત્રિત ખેરગામના રામજી મંદિર હોલ ખાતે અતુલ રૂલર ડેવલપમેન્ટ ફંડના સહયોગથી કર્તવ્ય ગ્રુપ તથા ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે "રક્તદાન એ જ મહાદાન"ના સૂત્ર સાથે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક, ખેરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીજ્ઞાબેન પટેલ સહિત અનેક મહિલાઓએ રક્તદાન કરીને નારી શક્તિનો સેવાભાવપૂર્ણ સંદેશ આપ્યો હતો. કેમ્પમાં નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડૉ. વિશાલભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેષભાઈ ટેલર, મુસ્તાનશિર વોહરા, આશિષ દેસાઈ, રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ, ટ્રસ્ટી અલ્પેશ ગજ્જર સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ અને થેલી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ યુવા મોરચાના મં...

ખેરગામમાં કર્તવ્ય ગ્રુપ અને ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો, 57 યુનિટ રક્ત એકત્રિત

  ખેરગામમાં કર્તવ્ય ગ્રુપ અને ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો, 57 યુનિટ રક્ત એકત્રિત


ખેરગામના રામજી મંદિર હોલ ખાતે અતુલ રૂલર ડેવલપમેન્ટ ફંડના સહયોગથી કર્તવ્ય ગ્રુપ તથા ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે "રક્તદાન એ જ મહાદાન"ના સૂત્ર સાથે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક, ખેરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીજ્ઞાબેન પટેલ સહિત અનેક મહિલાઓએ રક્તદાન કરીને નારી શક્તિનો સેવાભાવપૂર્ણ સંદેશ આપ્યો હતો.


કેમ્પમાં નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડૉ. વિશાલભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેષભાઈ ટેલર, મુસ્તાનશિર વોહરા, આશિષ દેસાઈ, રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ, ટ્રસ્ટી અલ્પેશ ગજ્જર સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ અને થેલી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.


જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી સુરજભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ પટેલના આયોજન હેઠળ યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં કુલ 57 યુનિટ રક્ત એકત્રિત થયું. આયોજકોએ રક્તદાન કરનાર તમામ દાતાઓ, સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના આભાર વ્યક્ત કર્યો હતો તથા વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરી હતી.














Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

  નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ...