શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...
Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ.
Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ.
આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ.
આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ. @dgpgujarat @GujaratPolice @ADGP_Surat pic.twitter.com/2nq7FrSYTY
— SP NAVSARI (@SP_Navsari) August 23, 2024

Comments
Post a Comment