મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મીયાંઝરી પ્રાથમિક શાળામાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા ઉપશિક્ષક શ્રી નરેશકુમાર લાલજીભાઈ મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ ગ્રામ પંચાયત મીયાંઝરીની સરપંચ શ્રીમતિ લીલાબેન અમરતભાઈ ગાંવીતના પ્રમુખપણામાં આયોજિત થયો હતો. શ્રી નરેશભાઈ લાલજીભાઈ મહાકાળે તા. ૩૧/૧૦/૨૦૨૫ના રોજ ૨૦ વર્ષની અવિરત સેવા પૂર્ણ કરી. તેમણે શાળામાં પ્રવાસ, પર્યટન અને વિવિધ પ્રવૃત્તિઓ જેવા વિષયોમાં રુચિ જગાવી, વિદ્યાર્થીઓ અને ગામજનો વચ્ચે વિરવાસનું સંપાદન કર્યું. વળી, ૨૦ વર્ષથી BLO (બુથ લેવલ ઓફિસર) તરીકે પણ નિષ્ઠાથી કાર્ય કર્યું છે. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી રવિભાઈ પટેલ, ખજાનચીશ્રી ભરતભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, ચીખલીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રાજેશભાઈ પટેલ સહિત શિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ...
તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું.
તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું. તારીખ :૩૦-૦૯-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા, શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ અને પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને વેણ ફળીયા પ્રાથમિક શાળામાં ખેરગામ જય ચામુંડા ફેબ્રિકેશનનાં માલિક ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુ અશ્વિનભાઈ વાઘેલાના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું. 💐💐પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.વાસુને શાંતિ અર્પે 💐💐 પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ પહાડ ફળિયા અને વેણ ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ