Skip to main content

મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો.

  મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મીયાંઝરી પ્રાથમિક શાળામાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા ઉપશિક્ષક શ્રી નરેશકુમાર લાલજીભાઈ મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ ગ્રામ પંચાયત મીયાંઝરીની સરપંચ શ્રીમતિ લીલાબેન અમરતભાઈ ગાંવીતના પ્રમુખપણામાં આયોજિત થયો હતો. શ્રી નરેશભાઈ લાલજીભાઈ મહાકાળે તા. ૩૧/૧૦/૨૦૨૫ના રોજ ૨૦ વર્ષની અવિરત સેવા પૂર્ણ કરી. તેમણે શાળામાં પ્રવાસ, પર્યટન અને વિવિધ પ્રવૃત્તિઓ જેવા વિષયોમાં રુચિ જગાવી, વિદ્યાર્થીઓ અને ગામજનો વચ્ચે વિરવાસનું સંપાદન કર્યું. વળી, ૨૦ વર્ષથી BLO (બુથ લેવલ ઓફિસર) તરીકે પણ નિષ્ઠાથી કાર્ય કર્યું છે. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી રવિભાઈ પટેલ, ખજાનચીશ્રી ભરતભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, ચીખલીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રાજેશભાઈ પટેલ સહિત શિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ...

ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું.

 ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું.


ખેરગામ તાલુકામાં બી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 તા. 19/11/2025ના રોજ સવારે 10:30 કલાકે આછવણીના બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્દઘાટન માનનીય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રી રાજેશભાઈ આર. પટેલ તથા માનનીય જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખશ્રી શ્રી પરેશભાઈ બી. દેસાઈના વરદહસ્તે કરવામાં આવ્યું. આછવણીના સરપંચશ્રી શ્રીમતિ વિરલાબેન આર. પટેલ, ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાનશ્રી ચુનિલાલ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નવસારી શૈક્ષિક સંઘના હોદ્દેદારો તથા ડો. વાય. કે. પટેલ (પ્રાચર્યશ્રી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી તથા લેકચરર મનીષભાઈ )  વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.









આ પ્રદર્શનમાં વિવિધ CRC કેન્દ્રોની કુલ પાંચ વિજેતાકૃતિઓ મુખ્ય આકર્ષણ બની:

  1. ખેરગામ CRC — વાડ ઉતાર પ્રાથમિક શાળા
    વિષય: ટકાઉ ખેતી
    કૃતિ: “ચાલોને ટકાઉ ખેતી અપનાવીએ”
    વિદ્યાર્થીઓ: કૈની અશોકભાઈ પટેલ, ટીશા રાજેશભાઈ પટેલ


  2. બહેજ CRC — બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, આછવણી
    વિષય: કચરાનું સંચાલન અને પ્લાસ્ટિકના વિકલ્પો
    કૃતિ: “Generate Electricity Bath Waste”
    વિદ્યાર્થીઓ: હેની દિલીપભાઈ પટેલ, સંજના રાજેશ કામથ


  3. પાણી ખડક CRC — વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળા
    વિષય: હરિત ઉર્જા
    કૃતિ: “Hybrid Solar-Wind Mill”
    વિદ્યાર્થીઓ: વંશ ડાહ્યાભાઈ પટેલ, નક્ષ કિરીટભાઈ પટેલ


  4. બહેજ CRC — કૃતિ ખડક પ્રાથમિક શાળા
    વિષય: અવિકસતી/નવિન ટેકનોલોજી અને ગાણિતિક નમૂનાઓ
    કૃતિ: “Footstep Power Generation System”
    વિદ્યાર્થીઓ: પંછી જગદીશભાઈ પટેલ, દ્રષ્ટિકુમારી જયેશભાઈ ગાંવિત


  5. શામળા ફળિયા CRC — નવી ભૈરવી પ્રાથમિક શાળા
    વિષય: આરોગ્ય અને જળ સંરક્ષણ
    કૃતિ: “પાણી પીવો, રોગ ભગાવો”
    વિદ્યાર્થીઓ: દ્રષ્ટિ ગીરીશભાઈ પટેલ, અનિશા અશ્વિન નાયક


આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક કલ્પનાશક્તિ, જ્ઞાન અને સર્જનાત્મકતાનો સુંદર પ્રદર્શન કર્યો. શાળા પરિવાર, SMC, શિક્ષક મંડળ તથા પંચાયત તંત્રના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

જ્યારે નિમંત્રક તરીકે આચાર્યશ્રી તથા શાળા પરિવાર – SMC આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, શ્રી વિજયકુમાર એમ. પટેલ, BRC Co-ordinator, ખેરગામ, શ્રી મનિષકુમાર કે. પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તા.પં. ખેરગામ ભૂમિકા ભજવી હતી.

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

    ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.  આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.  તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને...