નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25) અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા એ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વાવ પ્રાથમિક શાળા એ દ્વિતીય ક્રમાંક મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા...
નવસારીમાં પુસ્તક મેળો: બાળસાહિત્યથી આધુનિક વિચારો સુધીનું પુસ્તકવિશ્વ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જ્ઞાન, વાંચન અને પુસ્તકપ્રેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “પુસ્તક મેળો 2025”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેળાનું લોકાર્પણ દિનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લુંસીકુઇ ખાતે ધારાસભ્યશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રીના વરદહસ્તે થયું.
૭ થી ૧૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન દરરોજ સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મેળો જનતા માટે ખુલ્લો રહેશે. મેળામાં વિવિધ પ્રકાશકો, લેખકો, શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકપ્રેમીઓ માટે વિવિધ વિષયોના પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ યોજાયું છે. ધારાસભ્યશ્રીએ વાંચનને જ્ઞાનનો મૂળ સ્ત્રોત ગણાવ્યો અને બુદ્ધિપ્રધાન વાતાવરણ નિર્માણમાં આવા કાર્યક્રમોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી.
કમિશનરશ્રીએ પુસ્તકોને વ્યક્તિત્વ ઘડવાની શક્તિ ગણાવી અને નવી પેઢીમાં વાંચનની ટેવ વિકસાવવાની જરૂરિયાત વ્યક્ત કરી. નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓની ઉત્સાહી હાજરી વચ્ચે મેળામાં બાળ સાહિત્યથી લઈને આધુનિક વિચારસરણી સુધીના પુસ્તકો ઉપલબ્ધ રહ્યા, જેના કારણે વાંચનપ્રેમીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી.


Comments
Post a Comment