હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા એવોર્ડથી નવાજાયા ખેરગામના સ્વાતિબેન પટેલ નવસારી જિલ્લાના ગૌરવ સમાન સ્વાતિબેન હિરેનકુમાર પટેલે હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા નો પ્રતિષ્ઠિત લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવી દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં આજદિન સુધી આ એવોર્ડ મેળવનારી તેઓ પ્રથમ આદિવાસી મહિલા બન્યા છે. આ સાથે સ્વાતિબેને નવસારી જિલ્લાને One District One Product હેઠળ વારલી પેઇન્ટિંગ ની ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. નોંધનીય છે કે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી અત્યાર સુધી કોઈને આ એવોર્ડ મળ્યો નહોતો. સ્વાતિબેન દ્વારા તૈયાર કરાયેલ “ભીત ચિત્ર” વારલી પેઇન્ટિંગનું અનોખું અને પરંપરાગત સ્વરૂપ છે. આ ચિત્ર સંપૂર્ણ પ્રકૃતિ આધારિત અને ઇકો-ફ્રેન્ડલી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે. વાંસની ભીત પર માટી તથા ગાય-ભેંસના છાણનું લીપણ કરી, ચોખા અને બાવળના ગુંદરની પેસ્ટ વડે સફેદ રંગ તૈયાર કરીને ચિત્ર રચાયું છે. ચિત્રમાં આદિવાસી જીવનશૈલી, કૃષિ, પંચતત્વો, લગ્નવિધિ, ઉત્સવો, નૃત્ય, સંગીત, પશુપાલન, પર્વતો, તળાવો અને પ્રકૃતિ સાથેના સંબંધોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે....
નવસારીમાં પુસ્તક મેળો: બાળસાહિત્યથી આધુનિક વિચારો સુધીનું પુસ્તકવિશ્વ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જ્ઞાન, વાંચન અને પુસ્તકપ્રેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “પુસ્તક મેળો 2025”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેળાનું લોકાર્પણ દિનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લુંસીકુઇ ખાતે ધારાસભ્યશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રીના વરદહસ્તે થયું.
૭ થી ૧૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન દરરોજ સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મેળો જનતા માટે ખુલ્લો રહેશે. મેળામાં વિવિધ પ્રકાશકો, લેખકો, શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકપ્રેમીઓ માટે વિવિધ વિષયોના પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ યોજાયું છે. ધારાસભ્યશ્રીએ વાંચનને જ્ઞાનનો મૂળ સ્ત્રોત ગણાવ્યો અને બુદ્ધિપ્રધાન વાતાવરણ નિર્માણમાં આવા કાર્યક્રમોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી.
કમિશનરશ્રીએ પુસ્તકોને વ્યક્તિત્વ ઘડવાની શક્તિ ગણાવી અને નવી પેઢીમાં વાંચનની ટેવ વિકસાવવાની જરૂરિયાત વ્યક્ત કરી. નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓની ઉત્સાહી હાજરી વચ્ચે મેળામાં બાળ સાહિત્યથી લઈને આધુનિક વિચારસરણી સુધીના પુસ્તકો ઉપલબ્ધ રહ્યા, જેના કારણે વાંચનપ્રેમીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી.


Comments
Post a Comment