શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...
નવસારીમાં પુસ્તક મેળો: બાળસાહિત્યથી આધુનિક વિચારો સુધીનું પુસ્તકવિશ્વ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જ્ઞાન, વાંચન અને પુસ્તકપ્રેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “પુસ્તક મેળો 2025”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેળાનું લોકાર્પણ દિનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લુંસીકુઇ ખાતે ધારાસભ્યશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રીના વરદહસ્તે થયું.
૭ થી ૧૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન દરરોજ સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મેળો જનતા માટે ખુલ્લો રહેશે. મેળામાં વિવિધ પ્રકાશકો, લેખકો, શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકપ્રેમીઓ માટે વિવિધ વિષયોના પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ યોજાયું છે. ધારાસભ્યશ્રીએ વાંચનને જ્ઞાનનો મૂળ સ્ત્રોત ગણાવ્યો અને બુદ્ધિપ્રધાન વાતાવરણ નિર્માણમાં આવા કાર્યક્રમોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી.
કમિશનરશ્રીએ પુસ્તકોને વ્યક્તિત્વ ઘડવાની શક્તિ ગણાવી અને નવી પેઢીમાં વાંચનની ટેવ વિકસાવવાની જરૂરિયાત વ્યક્ત કરી. નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓની ઉત્સાહી હાજરી વચ્ચે મેળામાં બાળ સાહિત્યથી લઈને આધુનિક વિચારસરણી સુધીના પુસ્તકો ઉપલબ્ધ રહ્યા, જેના કારણે વાંચનપ્રેમીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી.


Comments
Post a Comment