Skip to main content

Posts

ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે રાજેશભાઈ પટેલને વધારાનો ચાર્જ, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન

       ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે રાજેશભાઈ પટેલને વધારાનો ચાર્જ, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન ચીખલી તાલુકાના અંબાચ પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક (HTAT) શ્રી રાજેશભાઈ પટેલ ને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના આદેશ અનુસાર ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, નવસારી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ જિલ્લામાં કેળવણી નિરીક્ષકોની ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખી તાલુકાવાર સૌથી વધુ સિનિયર, કાર્યદક્ષ અને સ્વૈચ્છિક સંમતિ ધરાવતા મુખ્યશિક્ષકો (HTAT)ને કેળવણી નિરીક્ષક તરીકે વધારાનો હવાલો સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અનુસંધાને શ્રી રાજેશભાઈ પટેલને ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે આગળની સૂચના સુધી વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ નિમણૂકના અવસરે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમરોલી પ્રાથમિક શાળા ખાતે શ્રી રાજેશભાઈ પટેલનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેશકુમાર પટેલ સહિત સંઘના હોદ્દેદા...

નારણપોર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન.

  નારણપોર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન. ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયક સાહેબની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ–2026 કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા તેમજ અન્ય શાળાઓમાંથી આવેલા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે ધોરણ 1થી 8માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર, 100 ટકા હાજરી ધરાવતા, CET તથા NMMS પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓ અંગે રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં ખેરગામ બ્લોકના લાયઝન અધિકારી જીગરભાઈ પટેલ, ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી ...

શામળા ફળિયા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં નવાં ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત.

   શામળા ફળિયા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં નવાં ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત. ખેરગામ, તા. 25 જૂન, 2026: ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ–2026 તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં કુલ 7 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળાના 3 અને પોમાપાળ પ્રાથમિક શાળાના 4 બાળકોનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય શાળાઓમાંથી ધોરણ-6માં પ્રવેશ મેળવનાર 7 વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના બાળકોનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1 થી 8 સુધીની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર તથા 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકે શાળાની *...

ભટ્ટાઈ ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી.

   ભટ્ટાઈ ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી. શિક્ષણ એ સપનાઓને સાકાર કરવાનું સશક્ત માધ્યમ : આઈએએસ સુશ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ, ૨૨૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત નવસારી, તા. ૨૩ જૂન ૨૦૨૬: રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ–૨૦૨૬' અંતર્ગત પ્રથમ દિવસે એમએસએમઇ કમિશનર આઈએએસ સુશ્રી ક્ષિપ્રા આગ્રેએ ભટ્ટાઈ ક્લસ્ટરની વિવિધ શાળાઓની મુલાકાત લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. સુશ્રી આગ્રેએ મોલધરા પ્રાથમિક શાળા (સ્કૂલ ઓફ એક્સેલન્સ), મિડલ મિશ્ર ભટ્ટાઈ પ્રાથમિક શાળા તથા ભટ્ટાઈ વિભાગ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રાથમિક વિભાગમાં ૫૪ તથા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧૬૯ એમ કુલ ૨૨૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓને શાળા પરિવારે કંકુ તિલક, મોં મીઠું કરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉષ્માભેર આવકાર્યા હતા. પ્રવેશોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા સુશ્રી ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ જીવનના સપનાઓને સાકાર કરવાન...

શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ.

    શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ. નવસારી, તા. 23: ગુજરાત સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લાની A+++ ગ્રેડ ધરાવતી પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સચિવાલય ગાંધીનગરના આઈએએસ અધિકારી શ્રીમતી આદ્રા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી આદ્રા અગ્રવાલે પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા, રમણ બ્રધર્સ વિદ્યાલય અને જામલાપોર કન્યા શાળા એમ ત્રણ શાળાઓમાં કુલ ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને નવા પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધી દેશના દરેક બાળકને ધોરણ-૧૨ સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. “ઝીરો ડ્રોપ-આઉટ”ના લક્ષ્યને હાંસલ કરવા શિક્ષણ વિભાગ સતત પ્રયાસશીલ છે. પ્રવેશોત્સવ દરમિયાન બાળવાડી (બાલવાટિકા)થી લઈને ધોરણ-૧૧ સુધીના વિદ્યાર્થીઓને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. સિસોદ્રા ગણે...

ખેરગામ કુમારશાળા અને કન્યા શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.

    ખેરગામ કુમારશાળા અને કન્યા શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો. ખેરગામ, તા. 24 જૂન 2026: ખેરગામ કુમારશાળા અને કન્યા શાળા દ્વારા સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા તેમજ ધોરણ-1 થી 8 સુધીના નવા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકોને શાળામાં પ્રવેશ અપાવી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક બાળકને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને પ્રેરણા વધે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત અભ્યાસ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શ્રી સમીર ડી. જોશી (DS, Agriculture, Farmer Welfare and Co-operation Department, ગાંધીનગર), શ્રી વિજયભાઈ પટેલ (મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી, વાંસદા), લાયઝન અધિકારી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (HTAT આચાર્ય, દેશમુખ પ્રાથમિક શાળા), જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મોહિનીબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી જિજ્ઞાબેન પટેલ, ખે...

નવપ્રવેશી વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ગણદેવીમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ–2026

     નવપ્રવેશી વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ગણદેવીમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ–2026 આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓનું કર્યું હર્ષભેર સ્વાગત ગણદેવી, તા. 24 જૂન: રાજ્ય સરકારના "શાળા પ્રવેશોત્સવ–પ્રગતિનો ઉત્સવ 2026" અંતર્ગત ગણદેવી તાલુકાના શ્રી અસ્પી કન્યા વિદ્યાલયના પટાંગણ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાણિયા મિલ હાઈસ્કૂલ, આંતલિયા, પ્રાથમિક વિદ્યામંદિર ઉંડાચ તથા વિવિધ આંગણવાડી કેન્દ્રોના અંદાજિત 203 નવપ્રવેશી બાળકોને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામ ઉદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી હર્ષોલ્લાસભેર આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજ પરિવર્તનનું મહાઅભિયાન છે. કન્યા સાક્ષરતા વધારવા અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના સંકલ્પ સાથે શરૂ...

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ : પ્રગતિનો મહોત્સવ

  શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ : પ્રગતિનો મહોત્સવ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં મીંઢાબારી અને બોરિયાછ ગામે શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી નવસારી, તા. 24 જૂન 2026: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીંઢાબારી તથા બોરિયાછ ગામે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે મીંઢાબારી અને બોરિયાછ ગામના બાલવાટિકાના 16, ધોરણ-1ના 19, આંગણવાડીના 4, ધોરણ-9ના 170 તથા ધોરણ-11ના 64 મળી કુલ 273 વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર ઔપચારિકતા નહીં પરંતુ શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવાનો એક મહોત્સવ છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત, વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) વચ્ચે સકારાત્મક સમન્વય અને સહભાગિતા અત્યંત જરૂરી છે. તેમણે સ્થાનિક સરપ...